પ. બંગાળઃમમતા બેનર્જીએ ન ઉતરવા દીધું યોગીનું હેલિકોપ્ટર
યુપીના સીએમ યોગી આદિત્યનાથ
પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારે યુપીના સીએમ યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને લેન્ડ કરવાની પરવાનગી નથી આપી. જેને કારણે યોગી પશ્ચિમ બંગાળની રેલીમાં નથી પહોંચી શક્યા. યોગી આદિત્યનાથ હવે બંને રેલીને ફોનથી સંબોધન કરશે.
યુપીના સીએમ યોગી આદિત્યનાથ આજે પશ્ચિમ બંગાળના દિનાજપુરમાં 2 રેલી કરવાના હતા. રેલીના સ્થળ નજકી તેમના હેલિકોપ્ટરને લેન્ડિંગ કરવાની પરવાનગી નથી મળી, જેને કારણે યુપીના સીએમ યોગી આદિત્યનાથ હવે ફોન દ્વારા રેલીને સંબોધન કરશે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ ભાજપના નેતાઓ સાથે આ ઘટના થઈ ચૂકી છે. આ પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહના હેલિકોપ્ટરને ઝારગ્રામમાં લેન્ડિંગની પરવાનગી નહોતી આપવામાં આવી. આ ઉપરાંત માલદામાં પણ તંત્રએ તેમના હેલિકોપ્ટરને ઉતરવાની પરવાનગી નહોતી.
આ પણ વાંચોઃયોગીએ કર્યું એક્વાલાઈનનું ઉદ્ઘાટન, પ્રિયંકા ગાંધી પર કર્યો કટાક્ષ
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ પશ્ચિમ બંગાળમાં 100થી વધુ રેલી કરવાનું છે. જેની શરૂઆત રાષ્ટ્રીય અધ્યક્ષ માલદામાં રેલી કરીને શરૂઆત કરી દીધી છે. સીએમ યોગી આદિત્યનાથ પણ ચાર રેલી કરવાના છે.