'વાયુ'ને કારણે પોરબંદરમાંથી 35 હજાર લોકોનું કરાશે સ્થળાંતર
વાયુ વાવાઝોડું ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડામાં જાનહાનિ ટાળી શકાય તે માટે રાજ્ય સરકાર તમામ પગલાં લઈ રહી છે. સીએમ વિજય રૂપાણી પણ તૈયારીઓ પર સીધી નજર રાખી રહ્યા છે. NDRF સહિતની એજન્સીઓને સ્ટેન્ડ બાય રાખી દેવાઈ છે. સાથે જ જરૂર પડ્યે લોકોને સલામત સ્થળે પણ ખસેડવામાં આવશે.
પોરબંદરમાં કરાશે સ્થળાંતર
ADVERTISEMENT
વાયુ વાવાઝોડું મોટા ભાગે પોરબંદર અને વેરાવળના દરિયા કિનારે અથડાશે. આવતીકાલે મોડી રાત્રે વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાય તેવી શક્યતા છે. વાયુ વાવાઝોડા દરમિયાન 100 કિલોમીટરથી વધુ ઝડપે દરિયાકિનારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. પરિણામે કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરી દેવાયા છે. પોરબંદરમાં સ્થળાંતરની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે.
74 ગામના 35 હજાર લોકોનું સ્થળાંતર
મળતી માહિતી પ્રમઆમે રાજ્યના દરિયાકાંઠેથી પસાર થઈ રહેલા વાવાઝોડાને પહોંચી વળવા તંત્ર સજ્જ થઈ ચૂક્યુ છે. જાનહાનિ ટાળવા માટે પોરબંદરના 74 ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. 74 ગામના લગભગ 35 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચોઃ વેરાવળ-દીવ વચ્ચેથી 130 કિલોમીટરની ઝડપે પસાર થશે વાવાઝોડું
શાળા કોલેજમાં રજા જાહેર
પોરબંદરના કલેક્ટરે આપેલી માહિતી પ્રમાણે જિલ્લામાં સ્થળાંતરની કાર્યવાહી માટે NDRFની 3 ટીમની પણ મદદ લેવાઈ રહી છે. તો પોરબંદરના દરિયાકિનારે ન જવા માટે લોકોને ચેતવણી અપાઈ છે. ચોપાટી પર પ્રવેશ બંધ કરી દેવાયો છે. આ ઉપરાંત જિલ્લાની તમામ શાળા કોલેજમાં આવતીકાલથી 14 તારીખ સુધી રજા જાહેર કરાઈ છે.