Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શિવસેનાના સંસદસભ્યને મારવા બે કરોડની સુપારી આપવાની શંકા

શિવસેનાના સંસદસભ્યને મારવા બે કરોડની સુપારી આપવાની શંકા

29 October, 2020 11:40 AM IST | Mumbai
Agencies

શિવસેનાના સંસદસભ્યને મારવા બે કરોડની સુપારી આપવાની શંકા

શિવસેનાના સંસદસભ્યને મારવા બે કરોડની સુપારી આપવાની શંકા

શિવસેનાના સંસદસભ્યને મારવા બે કરોડની સુપારી આપવાની શંકા


પરભણીના શિવસેનાના સંસદસભ્ય સંજય જાધવે તેમને જીવનું જોખમ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે અને તેમને મોતને ઘાટ ઉતારવા માટે એક ગૅન્ગને બે કરોડ રૂપિયાની સુપારી આપવામાં આવી હોવાનો દાવો કર્યો હતો.
લોકસભાના સાંસદ મંગળવારે તેમના સમર્થકો સાથે મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના નાનાલપેઠ પોલીસ સ્ટેશન પર ગયા હતા અને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર જાધવને ૧૮ ઑક્ટોબરે જાણકારી મળી હતી કે એક વગદાર વ્યક્તિએ નાંદેડની એક ગૅન્ગને બે કરોડ રૂપિયાની સુપારી આપી હતી.
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
આ વર્ષે ઑગસ્ટમાં જાધવે પરભણીના જિંતુર ખાતે એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (એપીએમસી)ના બિન-સત્તાવાર વહીવટી બોર્ડ પર એનસીપીને આપવામાં આવેલા પ્રતિનિધિત્ત્વ સામે વિરોધ નોંધાવવા તેમની સંસદની બેઠક પરથી રાજીનામું આપી દીધું હતું.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આ મામલા પર ધ્યાન આપવાની ખાતરી આપી ત્યાર બાદ તેમણે રાજીનામું પાછું ખેંચ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2020 11:40 AM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK