US: સ્વામીનારાયણ મંદિરમાં થઈ તોડફોડ, હિંદુ સમુદાયમાં નારાજગી
ફાઇલ ફોટો
અમેરિકામાં હેટ ક્રાઇમની ઘટના એકવાર ફરી સામે આવી છે. કેન્ટુકી રાજ્યમાં અજાણ્યા બદમાશોએ એક હિંદુ મંદિર તોડી નાખ્યું. મૂર્તિઓ પર બદમાશોએ કાળો રંગ નાખી દીધો. જણાવવામાં આવી રહ્યું છે કે અજાણ્યા લોકોએ મંદિરમાં રાખેલા સામાનને નુકસાન પહોંચાડ્યું. આ ઘટના રવિવારે રાતે અને મંગળવારે સવાર વચ્ચેના સમય દરમિયાન ઘટી. લુઈવિલે શહેરના સ્વામીનારાયણ મંદિરમાં થઈ. તોડફોડ પછી અમેરિકામાં રહેતા હિંદુ સમુદાયમાં નારાજગી છે.
ઘટનાની મેયરે કરી નિંદા
ADVERTISEMENT
લોકલ મીડિયાના જણાવ્યા પ્રમાણે, બદમાશોએ મંદિરની બારીઓને તોડી નાખી અને ત્યાં રાખેલા સામાનને ફેંકી દીધો. મંદિરની દીવાલો પર બદમાશોએ ભડકાવનારા સંદેશાઓ લખ્યા. આ ઘટનાને હેટ ક્રાઈમ સાથે જોડીને જોવામાં આવી રહી છે. લુઈવિલે શહેરના મેયર ગ્રેગ ફિશરે આ ઘટનાની નિંદા કરી છે અને કહ્યું છે કે આ ઘટનાને હિંદુ સમુદાયમાં નફરત ફેલાવવા માટે અંજામ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને જે પણ દોષી હશે તેના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. મેયરે હિંદુ સમુદાયના લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે.
આ પણ વાંચો: અમેરિકાની ચેતવણીઃચૂંટણી પહેલા દેશમાં કોમી રમખાણો-આતંકી હુમલાની આશંકા
મંદિરને સુરક્ષા પ્રોવાઈડ કરવામાં આવશે- સ્ટીવ કોનરાડ
લુઈસવિલ મેટ્રો પોલીસ વિભાગે પ્રમુખ સ્ટીવ કોનરાડને કહ્યું છે કે મંદિરને વધારાની સુરક્ષા પ્રોવાઈડ કરવામાં આવશે. સ્ટીવ કોનરાડે હિંદુ સમુદાયના લોકોને વિશ્વાસ અપાવતા કહ્યું છે કે આ બર્બરતાને અંજામ આપનારા લોકો વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરશે. જેણે પણ આ ઘટનાને અંજામ આપ્યો છે પોલીસ તેમની શોધ કરી રહી છે.