ઍર-સ્ટ્રાઇકના પુરાવા માગવા બદલ રાહુલને શરમ આવવી જોઈએ : અમિત શાહ
અમિત શાહ
BJPના પ્રમુખ અમિત શાહે ગઈ કાલે મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં જણાવ્યું હતું કે ‘પાકિસ્તાનની ત્રાસવાદી છાવણીઓ પર ભારતની ઍર-સ્ટ્રાઇકની સાબિતી માગવા બદલ કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને શરમ આવવી જોઈએ. ઇન્ડિયન ઍરફોર્સના અધિકારીઓએ પત્રકાર પરિષદમાં તેમનાં વિમાનો પાકિસ્તાનના ટેરર ટાર્ગેટ્સ પર ત્રાટક્યાં હોવાનું જણાવ્યા પછી પણ ઍર-સ્ટ્રાઇકના પુરાવા માગીને રાહુલ ગાંધીએ હજારો શહીદોનું અપમાન કર્યું છે.’
આ પણ વાંચો : સરકાર પ્રથમ વખત બહાર પાડશે 20 રૂપિયાનો સિક્કો
ADVERTISEMENT
સાગર જિલ્લાના બામોરા ખાતે BJPના બૂથ-લેવલ વર્કર્સને સંબોધતાં અમિત શાહે જણાવ્યું હતું કે ‘દિવસના ૧૮ કલાક રાષ્ટ્રની સેવા કરતા વડા પ્રધાનને અપમાનિત કરવા સિવાય કોઈ પ્રવૃત્તિ રાહુલ ગાંધીને સૂઝતી નથી. મોદી સરકારે પંચાવન મહિનામાં જે કર્યું એ કૉંગ્રેસે પંચાવન વર્ષોમાં કર્યું નથી. જનતા લોકસભાની આગામી ચૂંટણીમાં રાહુલ ગાંધી અને કૉંગ્રેસને જવાબ આપશે.’