Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > PM મોદીએ જ્યાં સાધના કરી તે ગુફાનું ભાડુ છે આટલા રૂપિયા

PM મોદીએ જ્યાં સાધના કરી તે ગુફાનું ભાડુ છે આટલા રૂપિયા

19 May, 2019 12:46 PM IST |

PM મોદીએ જ્યાં સાધના કરી તે ગુફાનું ભાડુ છે આટલા રૂપિયા

મોદી કેદારનાથની ગુફામાં ધ્યાન અવસ્થામાં

મોદી કેદારનાથની ગુફામાં ધ્યાન અવસ્થામાં


 

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાની ચૂંટણી થઈ રહી છે. સાતમા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથના દર્શન કર્યા હતા. લોકસભા ચૂંટણી માટે મતગણતરી 23મેના થવાની છે. કેદારનાથની યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથમાં બનેલી ગુફામાં ધ્યાન ધર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુફામાં ધ્યાન ધરતા જ આ ગુપા વિશે ચર્ચા શરૂ થઈ છે. લોકો આ ગુફાઓ વિશે જાણવા તત્પર થયા હતા.



શું છે આ ગુફાઓની ખાસિયત


કેદારનાથમાં બનેલી આ ગુફાઓ કુદરતી ગુફાઓ નથી. આ ગુફાઓનું નિર્માણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પછી કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદીએ કેદારનાથ વિકાસ ધામની જવાબદારી સ્વીકાર્યા પછી આ ગુફાઓ બનાવવા કહ્યું હતું જેને રુદ્ર ગુફા નામ આપવામાં આવ્યું છે. આ ગુફાઓ ગઢવાલ મંડળ વિકાસ નિગમની પ્રોપર્ટી છે આ ગુફામાં કોઈ પણ વ્યક્તિ 3,000 આપીને રહી શકે છે જેમાં 3 દિવસ રહેવાની સુવિધા આપવામાં આવી છે.

આ પણ વાંચો: કેદારનાથમાં પીએમ મોદીએ ગુફામાં બેસી કરી સાધના


આ ગુફાઓમાં સામાન્ય લોકો મેડિટેશન, ધ્યાન માટે રોકાઈ શકે છે. આ ગુફામાં લાઈટ, ટોયલેટ, ફોન જેવી બધી જ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી છે. આ ગુફાઓનું ધ્યાન ગઢવાલ મંડલ વિકાસ નિગમ દ્વારા જ રાખવામાં આવે છે અને આ નિગમની વેબસાઈટ પર જઈને તમે આ ગુફામાં રહેવા માટે બુકિંગ કરાવી શકો છો.

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2019 12:46 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK