કિરીટ સોમૈયાએ શિવસેનાથી જોખમ હોવાનો પત્ર ગૃહસચિવ અને રાજ્યપાલને આપ્યો
કિરીટ સોમૈયા
(મિડ-ડે પ્રતિનિધિ) બીજેપીના મુલુંડ વિસ્તારના ભૂતપૂર્વ સાંસદ અને ગુજરાતી નેતા કિરીટ સોમૈયાએ શિવસેનાથી પોતાના જીવને જોખમ હોવા બાબતનો પત્ર રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને ગૃહસચિવને આપ્યો છે. તેમણે એમ પણ કહ્યું છે કે હું કોઈનાથી ડરતો નથી, પણ શિવસેનાની આ દાદાગીરીની બધાને જાણ થાય એ માટે આ પત્ર લખીને તેમણે માહિતી આપી છે.
આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન
કિરીટ સોમૈયાએ આ બાબતે કહ્યું હતું કે બે વર્ષ પહેલાં થયેલા હુમલા જેવો હુમલો ફરી એક વખત થઈ શકે છે એવી ધમકી શિવસેના તરફથી અપાઈ છે. તેમણે પત્રમાં બે લાકોનાં નામ પણ લખ્યા છે જેનાથી તેમને ખતરો છે. કિરીટ સોમૈયાએ આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું કોઈનાથી ગભરાતો નથી અને ભવિષ્યમાં પણ ડરીશ નહીં. મેં અનેકોના ભ્રષ્ટાચાર અને કૌભાંડ ખુલ્લાં પાડ્યાં છે. હવે અમે વિરોધી પક્ષમાં છીએ એટલે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓ સામેનું મારું કામ ચાલુ જ રહેશે.