પુલવામામાં IED બ્લાસ્ટ, આતંકીઓનો સૈનિકોને નિશાન બનાવવાનો પ્રયાસ નિષ્ફળ
પુલવામામાં IED બ્લાસ્ટ
જમ્મૂ કશ્મીરમાં આતંકીઓ તેમની નાપાક હરકતો બંધ નથી કરી રહ્યા. આતંકવાદીઓએ પુલવામાના ત્રાલમાં રાત્રે લગભગ 3 વાગ્યે સુરક્ષાદળોને નિશાન બનાવી IED બ્લાસ્ટ કર્યો. આ વિસ્ફોટમાં એક સામાન્ય નાગરિક ઘાયલ થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે.
આતંકીઓના નિશાના પર સુરક્ષાદળોના પેટ્રોલિંગ કરી રહેલા વાહનો હતા, પરંતુ તેમને કોઈ નુકસાન નથી થયું. આ વિસ્ફોટ બાદ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
આ પણ વાંચોઃ મુંબઈ હુમલા પર કોઈ પગલાં ન લેવાયાં, પરંતુ પુલવામા હુમલાનો બદલો લીધો: મોદી
ADVERTISEMENT
વિસ્ફોટ બાદ તરત જ તેની તપાસ કરવા માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી. અને તેની તપાસ શરૂ કરી દીધી. 15 દિવસ પહેલા જ પુલવામામાં CRPFના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 40 જવાનો શહીદ થયા હતા.