Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન

31 August, 2020 06:25 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન


ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું 84 વર્ષની ઉંમરે નિધન થયું છે. તે કોરોના પૉઝિટિવ હતા. નવી દિલ્હીની આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હૉસ્પિટલમાં તે તબીબી સારવાર લઈ રહ્યા હતા. વેન્ટિલેટરનો સપોર્ટ તેમને આપવામાં આવ્યો હતો. તેમના નિધનના સમાચાર પુત્ર અભિજીત મુખરજીએ ટ્વીટ કરીને આપ્યા હતા.




આજે સવારે ડૉક્ટર્સનું કહેવું હતું કે, તેમને ફેફસાંમાં ચેપ લાગ્યો છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના મગજમાં લોહી જામી જવાથી તાકીદની શસ્ત્રક્રિયા કરવી પડી હતી. એ પછી એમની તબિયત વધુ બગડી હતી. એવું નિદાન થયું હતું કે તેમના મગજમાં મોટી ગાંઠ હતી જેની શસ્ત્રક્રિયા જરૂરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

31 August, 2020 06:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK