PM મોદી તરફથી મળી ભેટ, કોંગ્રેસમાં આવ્યું પરિવર્તનઃ રાહુલ ગાંધી
કૉંગ્રેસ આપશે મોટો ઝટકો, મોદીથી મળી ગિફ્ટ
કૉંગ્રેસ નેતા સજ્જન કુમારને 1984ના શીખ તોફાનના મામલામાં હાઈકોર્ટે દોષી ગણાવ્યા બાદ પહેલી વાર રાહુલ ગાંધી આ મુદ્દા પર વાત કરી છે. એમણે કહ્યું કે જો કોઈ લઘુમતી સમુદાયના લોકોને નુકસાન પહોંચાડે, એને સજા મળવી જોઈએ. આ દરમિયાન રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, નોટબંધી અને આગામી લોકસભા ચૂંટણીથી જોડાયેલા સવાલોનો પણ જવાબ આપ્યા. રાહુલે કહ્યું કે પીએમ મોદીથી એક મોટી ભેટ મળી છે.
લોકસભા ચૂંટણીને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે કૉંગ્રેસ આ વખતે આંચકો આપશે. એમણે કહ્યું કે 2014ની કૉંગ્રેસ અને 2019ની કૉંગ્રેસમાં ઘણું અંતર છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીથી ગઠબંધન ન થવા છતાં અહીં કૉંગ્રેસ ઘણુ સારૂ પ્રદર્શન કરશે. એવું પ્રદર્શન કરશે જેથી લોકો હેરાન થઈ જશે.
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ ચોંકાવશે
રાહુલ ગાંધીએ કહ્યું, 'જુઓ, અમારું લક્ષ્ય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવાનું છે. ઘણા રાજ્યો એવા છે, જ્યાં અમારી પાર્ટી ઘણી મજબૂત છે. અહીંયા અમે ભાજપને સીધી ટક્કર આપી રહ્યા છે. જ્યાં મહારાષ્ટ્ર, ઝારખંડ, તામિલનાડુ અને બિહાર જેવા રાજ્યોમાં આપણે અન્ય પાર્ટીઓથી ગઠબંધન કરશું. ઉત્તર પ્રદેશની વાત કરીએ, તો ત્યાં પાર્ટી ઘણી મજબૂત છે. અહીં અમારી પાર્ટી ખૂબ જ સારો દેખાવ કરશે, જે લોકોને આશ્ચર્ય કરશે. '
મોદીજીએ મને શીખવ્યું...
રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી મારાથી વાત નથી કરતા. જ્યારે પણ હું એમની સામે આવું છું, તો ફક્ત 'હેલો' કહે છે. શ્રી નરેન્દ્ર મોદીમાં બહુ જ ગુસ્સો છે. પરંતુ કેટલીક વસ્તુ છે જે તેઓ બોલે છે અને હું સાંભળુ છું. અને હજી એક વાત જે તેઓ કહે છે કે 'જુઓ, તમે એ સ્થિતિથી આવો છો જ્યાં તમને કોઈ ફાયદો થાય અને આ સાચુ છે. મારે આ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ. હું એ હકીકતનો ઈનકાર કરી શકતો નથી કે મારો પરિવાર રાજકારણમાં છે. પરંતુ શ્રી નરેન્દ્ર મોદીએ જે નથી જોયું એ છે દર્દ, જે હિંસા મેં જોઈ છે, જે બધાની સામે શીખ્યું છે. શ્રી મોદીના પણ કેટલાક નુકસાન અને ફાયદા છે.