ગાંધી સામેનાં વિવાદાસ્પદ નિવેદનોને કારણે સુધરાઈનાં અધિકારી નિધિ ચૌધરીની
નિધિ ચૌધરી
બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (સ્પેશ્યલ) નિધિ ચૌધરીએ મહાત્મા ગાંધીવિરોધી નિવેદનને ટ્વીટ કર્યું એની સજારૂપે સોમવારે તેમની બદલી કરવામાં આવી હતી. જોકે એ વિવાદને પગલે એવી અટકળોને વેગ મળ્યો છે કે અધિકારીઓની સોશ્યલ મીડિયા પરની વર્તણૂકનું નિયમન કરવા માટે રાષ્ટ્રીય સ્તરે કેટલાક ચોક્કસ નિયમો ઘડવામાં આવી શકે છે.
ચૌધરી પર પબ્લિક મીડિયા વિશેના ઑલ ઇન્ડિયા સિવિલ સર્વિસિસ (કન્ડક્ટ) રૂલ્સ ૧૯૬૮ની અવજ્ઞા કરવાનો આરોપ છે. જૂના કાનૂની માળખામાં ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, બ્લૉગ (અંગત), વૉટ્સઍપ વગેરે જેવાં નવાં માધ્યમોના ડિજિટલ સ્વરૂપ પર સરકારી અધિકારીની વર્તણૂકનું નિયમન કરવા માટેની કોઈ ચોક્કસ જોગવાઈઓ નથી.
ADVERTISEMENT
એક સિનિયર આઇએએસ અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમારે ટૂંક સમયમાં જ આ (નવા માધ્યમ) વિશે વિચારવું પડશે અને ભારતના સ્તરે સુસંગત ફેરફાર કરવા પડશે. હાલના તબક્કે અમે કેવળ જાહેર હિત માટે નવા માધ્યમનો ઉપયોગ કરનારા અધિકારીઓ અને વિભાગોથી ખુશ છીએ. આ પ્રકારનો (ચૌધરીનો) કેસ તિક ભૂલ છે, પણ એના પુનરાવર્તનની શક્યતાને નકારી શકાય નહીં. આ અધિકારી એક સિનિયર અધિકારી છે જેઓ ચૌધરીનો કેસ સંભાળી રહ્યા છે.
આ પણ વાંચો ઃસૂતો હતો ત્યારે ગુસ્સે ભરાયેલી પત્નીએ માથામાં વજનદાર વસ્તુ ફટકારીને મારી નાખ્યો
ચૌધરીને ઑલ ઇન્ડિયા સિવિલ સર્વિસિસ (કન્ડક્ટ) રૂલ્સ ૧૯૬૮ની કલમ ૬ હેઠળ તેમનું નિવેદન સમજાવવાનું જણાવવામાં આવ્યું છે. આ નિયમો જાહેર (મીડિયા)માં જતાં પહેલાં સરકારની આગોતરી મંજૂરી લેવા સંદર્ભે છે.