રામનવમીના સપરમા પર્વે જ્યાં ગુજરાતી સાહિત્યકારો, કવિઓ, કલાકારો રામગોષ્ઠિ કરવાના છે એ માથેરાનના રામમંદિરે આપણે પણ જઈ આવીએ
માથેરાન રામ મંદિર
મુંબઈનો કયો ગુજરાતી માથેરાન નહીં ગયો હોય? બાળક હોય કે વૃદ્ધ ભારતનું એકમાત્ર ‘નો વેહિકલ’ ગિરિમથક દરેક માટે મામાનું ઘર છે. મામાનું ઘર કહેવાનું કારણ એ કે આ હિલસ્ટેશન બારમાસી ડેસ્ટિનેશન છે. મોસાળે જેમ દરેક સીઝનમાં જવાય અને પાછું ત્યાં દરેકને ગોઠેય ખરું એમ માથેરાન પણ વર્ષભર આવકારક રહે છે એથી અહીં પણ દરેકને મજા પડી જાય છે.
માથેરાનની વિશેષ વાતો કરવી એ સૂર્યદેવતાને દીવો દેખાડવા જેવું છે. મતલબ કે એની ખૂબસૂરતી વિશે દરેકને જાણ છે, એમ કહી શકાય કે મોટા ભાગના રીડર્સે એ મોહકતા માણી પણ હશે અને છતાં જેમ ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતા સેંકડો વખત સ્ક્રીન પર જોઈ હોવા છતાં રૂબરૂ જોઈને આભા બની જવાય અને તારીફમાં બે-ચાર શબ્દો બોલાઈ જાય એવું જ. હા, ડિટ્ટો એવું જ ફીલ થાય છે માથેરાન જોઈને પણ. પહેલી વખત નહીં, ત્યાં અનેક વખત જઈએ છતાં રાયગડ જિલ્લાના આ હિલ-સ્ટેશનના રંગમાં રંગાઈ જ જવાય.
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-dk.png)
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-mb.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)