Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > માથેરાન ફક્ત પર્યટનધામ નહીં, તીર્થધામ પણ છે; કારણ કે અહીંના રામજી ૧૨૮ વર્ષના થઈ ગયા છે

માથેરાન ફક્ત પર્યટનધામ નહીં, તીર્થધામ પણ છે; કારણ કે અહીંના રામજી ૧૨૮ વર્ષના થઈ ગયા છે

14 April, 2024 11:48 AM IST | Mumbai
Alpa Nirmal

રામનવમીના સપરમા પર્વે જ્યાં ગુજરાતી સાહિત્યકારો, કવિઓ, કલાકારો રામગોષ્ઠિ કરવાના છે એ માથેરાનના રામમંદિરે આપણે પણ જઈ આવીએ

માથેરાન રામ મંદિર

તીર્થાટન

માથેરાન રામ મંદિર


મુંબઈનો કયો ગુજરાતી માથેરાન નહીં ગયો હોય? બાળક હોય કે વૃદ્ધ ભારતનું એકમાત્ર ‘નો વેહિકલ’ ગિરિમથક દરેક માટે મામાનું ઘર છે. મામાનું ઘર કહેવાનું કારણ એ કે આ હિલસ્ટેશન બારમાસી ડેસ્ટિનેશન છે. મોસાળે જેમ દરેક સીઝનમાં જવાય અને પાછું ત્યાં દરેકને ગોઠેય ખરું એમ માથેરાન પણ વર્ષભર આવકારક રહે છે એથી અહીં પણ દરેકને મજા પડી જાય છે. 
માથેરાનની વિશેષ વાતો કરવી એ સૂર્યદેવતાને દીવો દેખાડવા જેવું છે. મતલબ કે એની ખૂબસૂરતી વિશે દરેકને જાણ છે, એમ કહી શકાય કે મોટા ભાગના રીડર્સે એ મોહકતા માણી પણ હશે અને છતાં જેમ ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતા સેંકડો વખત સ્ક્રીન પર જોઈ હોવા છતાં રૂબરૂ જોઈને આભા બની જવાય અને તારીફમાં બે-ચાર શબ્દો બોલાઈ જાય એવું જ. હા, ડિટ્ટો એવું જ ફીલ થાય છે માથેરાન જોઈને પણ. પહેલી વખત નહીં, ત્યાં અનેક વખત જઈએ છતાં રાયગડ જિલ્લાના આ હિલ-સ્ટેશનના રંગમાં રંગાઈ જ જવાય.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

14 April, 2024 11:48 AM IST | Mumbai | Alpa Nirmal

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK