Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > Summer Special: ઉનાળામાં અળાઈથી પરેશાન છો? તો છુટકારો મેળવવા કરો આ ઘરેલુ ઉપાય

Summer Special: ઉનાળામાં અળાઈથી પરેશાન છો? તો છુટકારો મેળવવા કરો આ ઘરેલુ ઉપાય

11 May, 2022 08:00 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગરમીમાં શરીરના લોહીનું ટેમ્પરેચર પણ વધે છે અને અંદરનું તાપમાન જાળવવા માટે પસીનો પેદા કરીને શરીર ઠંડું થાય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને કાળઝાળ ગરમીથી લોકો હેરાન-પરેશાન છે. આ સિઝનમાં અળાઈની સમસ્યા સામાન્ય બની જાય છે. ખાસ કરીને બાળકો આનાથી ખૂબ પ્રભાવિત થાય છે. ખંજવાળની ​​સાથે તેમાં બળતરા પણ થવા લાગે છે. ઉનાળામાં, તમારા સ્વાસ્થ્ય અને ત્વચાની વિશેષ કાળજી લેવાની જરૂર છે, જ્યારે અળાઈ તમને ખૂબ પરેશાન કરે ત્યારે તમારે તાત્કાલિક રાહત મેળવવા માટે આમાંના કેટલાક ઉપાય અપનાવવા જોઈએ.

ગરમીમાં શરીરના લોહીનું ટેમ્પરેચર પણ વધે છે અને અંદરનું તાપમાન જાળવવા માટે પસીનો પેદા કરીને શરીર ઠંડું થાય છે. અતિશય પસીનો લૂછીને ત્વચા સાફ ન કરી લેવાય તો પસીનો સુકાઈ જાય છે જે સ્વેદગ્રંથિઓ પર જામી જતાં એ બ્લૉક થઈ જાય છે. ફરી જ્યારે ગરમી લાગે ત્યારે પસીનો બ્લૉકેજને કારણે બરાબર નીકળી શકતો નથી અને ત્વચાનું તાપમાન વધે છે અને પસીનાનાં કેમિકલ્સને કારણે ખંજવાળ આવે છે. આ સીધુંસાદું અળાઈ થવાનું વિજ્ઞાન છે.



ડૉ. સંજય છાજેડ કહે છે કે “સુતરાઉ અને ખાદી બેસ્ટ ફૅબ્રિક છે. એ જાળીદાર ફૅબ્રિક હોવાથી એમાંથી હવાની અવરજવર સારીએવી રહે છે. એનાથી ત્વચાનું ઉપરનું આવરણ કૂલ રહે છે. આજકાલ પૉલિખાદી, ટેરીખાદી મળે છે એવી નહીં, સુતરાઉ ખાદી જ વાપરવી. દિવસમાં બે વાર નહાવાનું રાખવું. બહારથી ઘરે આવો ત્યારે પસીનો થયો હોય તો પાણીથી નાહીને કપડાં બદલી લેવાં. આ બહુ બેઝિક્સ છે. સારી વાત એ છે કે જો તમે બેઝિક કાળજી રાખો તો અળાઈ પ્રિવેન્ટ કરી શકો છો.’


ડૉ. પંકજ પારેખ, પીડિયાટ્રિશ્યન કહે છે કે “અળાઈને ફૂડ કે વૉટર ઇન્ટેક સાથે કોઈ લેવાદેવા નથી. બહારથી રમીને આવ્યા બાદ તરત જ સાદા પાણીથી નાહીને કપડાં બદલવાની આદત જો બાળકોને પાડવામાં આવે તો અળાઈ ઉપરાંત બીજા પણ અનેક ચેપોથી બચાવી શકાય.

અળાઈથી રાહત મેળવવા આ ઘરેલું ઉપચાર અજમાવો


ઠંડુ દહીં

ઠંડું દહીં ગરમીની ફોલ્લીઓથી છુટકારો મેળવવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. અડધા બાઉલ ઠંડા દહીંમાં ફુદીનાનો પાવડર મિક્સ કરો. આ પેસ્ટને અળાઈ પર હળવા હાથે લગાવો. થોડી વાર પછી સ્નાન કરો. આ પેસ્ટનો દિવસમાં બે વાર ઉપયોગ કરી શકાય છે.

પપૈયાની પેસ્ટનો ઉપયોગ કરો

પાકા પપૈયાની સ્લાઈસની પેસ્ટ બનાવો. તેમાં ઘઉંનો લોટ ઉમેરો. હવે આ પેસ્ટને અળાઈ પર લગાવો અને હળવા હાથે મસાજ કરો અને પછી સ્નાન કરો. તેનાથી તમને ઘણી રાહત મળશે. પપૈયું તમારી ત્વચાને ઠંડક આપશે અને ઘઉંનો લોટ મૃત કોષોને દૂર કરવામાં મદદરૂપ સાબિત થશે. આ પેસ્ટનો દિવસમાં બે વાર ઉપયોગ કરી શકાય છે.

કાકડીની પેસ્ટ લગાવવાથી રાહત મળશે

એક કાકડીની છાલ કાઢી તેમાં ચંદન પાવડર મિક્સ કરો. પછી આ પેસ્ટને ફ્રીજમાં રાખો, જ્યારે તે ઠંડુ થઈ જાય, ત્યારે તેને અળાઈ પર લગાવો અને તેને સૂકાવા દો. તે પછી સ્નાન કરો. તેનાથી ત્વચાને ઠંડક મળશે અને ગરમીના ફોલ્લીઓથી પણ રાહત મળશે.

તમારી આસપાસ બરફ રાખો

જો હીટ રેશની સમસ્યા વધી જાય છે, તો એક સુતરાઉ કપડામાં બરફના 2 અથવા 3 ટુકડાઓ બાંધી દો. હવે તેનાથી હળવા હાથે અળાઈ પર ધીમે-ધીમે મસાજ કરો. આમ કરવાથી તમને 5-10 મિનિટમાં આરામ મળશે.

Whatsapp-channel Whatsapp-channel

11 May, 2022 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK