Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ઍક્સિડન્ટથી થતાં મૃત્યુમાં ચેસ્ટ ટ્રૉમા ત્રીજું સામાન્ય કારણ છે

ઍક્સિડન્ટથી થતાં મૃત્યુમાં ચેસ્ટ ટ્રૉમા ત્રીજું સામાન્ય કારણ છે

Published : 10 September, 2025 12:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ ઊંચાઈ પરથી પડે કે તેનો કોઈ કારણસર ઍક્સિડન્ટ થાય તો તેને ચેસ્ટ ટ્રૉમા થવાની શક્યતા ઘણી વધારે રહે છે

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


કોઈ વ્યક્તિ ઊંચાઈએથી પડે કે કોઈ પણ રીતે ઍક્સિડન્ટ થાય એમાં માથામાં વાગે એટલે કે હેડ-ઇન્જરી થાય કે કરોડરજ્જુ ભાંગે એટલે કે સ્પાઇન-ઇન્જરી થાય એ વિશે ઘણા લોકોને માહિતી હશે, પરંતુ ત્રીજી સામાન્ય ઇન્જરી જે થાય છે એ ચેસ્ટ કે ફેફસાંની ઇન્જરી હોય છે. ઍક્સિડન્ટમાં થતાં મૃત્યુ પાછળ જવાબદાર કારણોમાં આ ત્રીજું સામાન્ય કારણ છે.

જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ ઊંચાઈ પરથી પડે કે તેનો કોઈ કારણસર ઍક્સિડન્ટ થાય તો તેને ચેસ્ટ ટ્રૉમા થવાની શક્યતા ઘણી વધારે રહે છે. જરૂરી નથી કે એ ખૂબ વધારે હાઇટ હોય. ઘણી વાર એકાદ માળ જેટલી ઊંચાઈમાં પણ લોકોને ચેસ્ટ ટ્રૉમા થઈ જતો હોય છે. મોટા ભાગે મોટર-વ્હીકલ ઍક્સિડન્ટને કારણે ચેસ્ટ ટ્રૉમા થઈ શકે છે. કારમાં જ્યારે ઍરબૅગ વ્યવસ્થિત ન હોય ત્યારે ઍક્સિડન્ટ થાય અને સ્ટિયરિંગ આખું છાતીમાં ઘૂસી જાય છે અથવા છાતી સાથે સ્ટિયરિંગ જોરથી ભટકાય છે જેને કારણે ચેસ્ટ ટ્રૉમા થવાની શક્યતા ઘણી વધારે રહે છે. ઘણી વાર વાહનનો ઍક્સિડન્ટ થાય અને વ્યક્તિ ફેંકાઈને કોઈ દૂર જગ્યાએ પડે તો પણ ચેસ્ટ ટ્રૉમા થઈ શકે છે. આ સિવાય જો છાતીમાં ગોળી વાગે કે છરી ભોંકાય તો પણ ચેસ્ટ ટ્રૉમા જ ગણાય છે. ઘણી વખત એવું થાય છે કે રમતાં-રમતાં વ્યક્તિને આવી કોઈ સિવિયર ઇન્જરી થવાની શક્યતા રહે છે. રમતાં-રમતાં તે પડી જાય કે સીધું છાતી પર જ બળ આવે તો એ ઇન્જરી ચેસ્ટ ટ્રૉમા સાબિત થઈ શકે છે.



ચેસ્ટ ટ્રૉમામાં ફેફસાં ઍક્સિડન્ટ કે બીજાં કોઈ કારણોસર ડૅમેજ થાય છે. ફેફસાં બહાર કે અંદરની તરફથી ડૅમેજ થાય એટલે શ્વાસ સંબંધિત તકલીફો ઊભી થવાની જ છે. ઘણી વાર બહારથી દેખાઈ આવે કે છાતી પર જ ભાર આવી ગયો છે અને ઘણી વાર ત્યાંથી બ્લીડિંગ થતું હોય તો નિદાન સરળ બને. જોકે મોટા ભાગે એ અંદરની જ ઇન્જરી હોય એટલે એને ઓળખવી અઘરી પડે છે. જો વ્યક્તિને બહાર પણ ઇન્જરી થઈ હોય - ચેસ્ટ પર - તો કદાચ સમજી પણ શકાય છે કે અંદરથી ઇન્જરી થઈ હોવાનું રિસ્ક વધુ છે; પરંતુ જે દરદીઓને આ બહારની ઇન્જરી થઈ જ નથી, અંદરથી જ ડૅમેજ થયું છે તેમનું નિદાન તરત કરવું અઘરું છે. ચેસ્ટ ટ્રૉમાનો ઇલાજ અશક્ય નથી, પણ જો વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી જાય તો એ શક્ય છે અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ પણ હાદસા પછી વ્યક્તિને તાત્કાલિક ઇમર્જન્સી વિભાગમાં પહોંચાડવામાં આવી હોય. જો હૉસ્પિટલ પહોંચવામાં મોડું થાય તો વ્યક્તિને બચાવવી અઘરી પડી જાય છે.  


-ડૉ અમિતા દોશી નેને


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2025 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK