Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ગમવાળા ચાંદલા વાપરતાં પહેલાં આટલું જાણવું જરૂરી

ગમવાળા ચાંદલા વાપરતાં પહેલાં આટલું જાણવું જરૂરી

Published : 23 January, 2026 12:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુંદરતાનું પ્રતીક ગણાતા કુમકુમના ચાંદલાનું સ્થાન હવે ગમવાળા સ્ટિકર ચાંદલાએ લઈ લીધું છે ત્યારે એનો સતત વપરાશ લાંબા ગાળે નુકસાન પહોંચાડી શકે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એક નાનકડી બિંદી સ્ત્રીની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. પહેલાંના જમાનામાં કપાળ પર ચાંદલો લગાવવા કંકુનો વપરાશ થતો હતો, પણ હવે સમય જતાં સ્ટિકરવાળા ચાંદલા ચલણમાં આવ્યા છે. ચોંટાળવામાં સરળ, અલગ-અલગ સાઇઝ અને ડિઝાઇનમાં મળતા ચાંદલા દેખાવમાં આકર્ષક હોય છે પણ એની પાછળ છુપાયેલું કેમિકલ એટલું જ જોખમી સાબિત થઈ શકે છે. ચાંદલાની પાછળ વપરાતા ગમમાં પૅરા-ટર્શિયરી બ્યુટાઇલ ફીનોલ નામનું કેમિકલ હોય છે જે ત્વચાના સંપર્કમાં આવતાં ખંજવાળ, લાલાશ અને સોજો લાવી શકે છે. સતત એક જ જગ્યાએ ગમવાળો ચાંદલો ચોંટાડવાથી ત્યાંની ત્વચાના મેલાનિન કોષો નાશ પામે છે, જેના કારણે કપાળ પર સફેદ ડાઘ પડી શકે છે. લાંબો સમય ચાંદલો લગાવી રાખવાથી એ જગ્યા કાળી પડી જાય છે અથવા ત્વચાનું પડ જાડું થઈ જાય છે. ગર્મી કે પરસેવાના કારણે ગમ ઓગળે ત્યારે બૅક્ટેરિયલ ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે, જેનાથી ઝીણી ફોલ્લીઓ થાય છે.

સાવચેતી કેવી રીતે રાખવી?



આખો દિવસ ચાંદલો લગાવી રાખવાનું ટાળો. ઘરે હો ત્યારે અથવા રાત્રે સૂતી વખતે ચાંદલો ચોક્કસપણે કાઢી નાખો.


હલકી ગુણવત્તાના સસ્તા ચાંદલા વાપરવાને બદલે જાણીતી બ્રૅન્ડના મેડિકલી ટેસ્ટેડ ચાંદલા પસંદ કરવા.

રોજ એક જ ચોક્કસ બિંદુ પર ચાંદલો ન લગાવતાં એની જગ્યામાં સહેજ ઉપર-નીચે ફેરફાર કરતા રહો જેથી ત્વચાને શ્વાસ લેવાની જગ્યા મળે.


કપાળ પર પરસેવો હોય કે ત્વચા ભીની હોય ત્યારે સ્ટિકર ચાંદલો ન લગાવો.

શક્ય હોય ત્યાં સુધી શુદ્ધ કંકુ અથવા ચંદનનો ચાંદલો કરવાની આદત પાડો. એ ત્વચા માટે ઠંડક આપનાર અને સુરક્ષિત છે.

ચાંદલો લગાવતાં પહેલાં એ જગ્યાએ હળવું મૉઇશ્ચરાઇઝર અથવા નારિયેળ તેલનું ટીપું લગાવો જેથી ગમ સીધો ત્વચાના સંપર્કમાં ન આવે.

જો ચાંદલાની જગ્યાએ ખંજવાળ કે બળતરા થાય તો તરત જ ચાંદલો કાઢી ત્યાં ઍલોવેરા જેલ અથવા બરફનો શેક કરવો.

જો ત્વચા પર સફેદ ડાઘ કે ગંભીર રૅશિસ દેખાય તો ઘરગથ્થુ પ્રયોગો કરવાને બદલે ત્વચારોગના નિષ્ણાતનો સંપર્ક કરવો.

Whatsapp-channel Whatsapp-channel

23 January, 2026 12:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK