Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > સાધનભક્તિ કરતાં આંખમાં આંસુ આવી ગયાં તો સમજો થઈ ગઈ ભાવભક્તિ

સાધનભક્તિ કરતાં આંખમાં આંસુ આવી ગયાં તો સમજો થઈ ગઈ ભાવભક્તિ

Published : 01 January, 2026 12:38 PM | IST | Mumbai
Morari Bapu

અંગ્રેજીમાં તિલકનો અર્થ શો? તિલક એટલે થ્રી લક, ત્રણ પ્રકારનાં ભાગ્યઃ એક ગુડ લક, બે બેટર લક અને ત્રીજું બેસ્ટ લક. બસ, આ તિલકને ફૉલો કરતા રહેવાનું.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


દંભથી ન જીવો, ક્યારેય નહીં. જીવનનાં મૂલ્યોનો ખુલ્લા દિલે સ્વીકાર કરી લેવો જોઈએ. કોઈ શું કરે છે, શું વિચારે છે, કોની સામે જુએ છે એ બધી વાતો કે ચિંતા ભક્તિ કરવાવાળાઓએ ન કરવી જોઈએ. જેને તમે ખરાબ કહો છો એ પણ તેમનું છે. ઈશ્વરની સૃષ્ટિમાં પરિવર્તન છે, પુનરાવર્તન નથી. વૈષ્ણવને ત્રાજવું દેખાડવું પડે છે. કોણ ખરાબ? વૈષ્ણવની આંખ બીજાના ગુણ-દોષ પર વિચાર નથી કરતી. માળા કરતા હો તો ભાવ જાગે ત્યાં સુધી રાહ જુઓ. ભાવ જાગવાની ઘટના બનશે.

અંગ્રેજીમાં તિલકનો અર્થ શો? તિલક એટલે થ્રી લક, ત્રણ પ્રકારનાં ભાગ્યઃ એક ગુડ લક, બે બેટર લક અને ત્રીજું બેસ્ટ લક. બસ, આ તિલકને ફૉલો કરતા રહેવાનું.



ગુડ લક એટલે જીવનમાં પ્રભુનું ભાગ્ય આવે એ. પછી છે એ બેટર લક છે. આ બેટર લકને તમે બટર લક પણ કહી શકો. બટર લક એટલે માખણ લક. જેનું મન કૃષ્ણને ચોરી લે. જેમ કનૈયો માખણ ચોરી લેતો એવી જ રીતે. એ પછી આવે છે બેસ્ટ લક. બેસ્ટ લક એટલે ચેસ્ટ લક. ભગવાન ભેટી પડે એ ચેસ્ટ લક. એ ભક્તને છાતીસરસો ચાંપે એનાથી મોટી વાત બીજી કઈ હોય? બસ, આ જ બેસ્ટ લક.


સાધનભક્તિ કોશિશ છે. એમાં ભક્તિ કરવી પડે છે, પણ ભાવનો અંકુરa ન ફૂટ્યો. જાપ કરીએ છીએ પણ ભાવનો અંકુર ન ફૂટ્યો, આંખો ભરાઈ આવતી નથી, ભાવનો ઉદય ન થયો એટલે બીજાની ખણખોદ કરવામાં લાગી જાય છે. તમારામાં ભાવ નથી અને જો કોઈ બીજી વ્યક્તિ ભાવવશ બની રડશે તો તમે તેની ટીકા કરશો, પણ યાદ રાખજો જે સમયે તમારામાં પણ ભાવ જન્મશે એ સમયે તમારી આંખોમાંથી પણ ચોધાર આંસુ આવશે અને એ સમયે તમને આજુબાજુવાળો શું વિચારશે એની પડી પણ નહીં હોય.

સાધનભક્તિ કરતાં-કરતાં ક્યારેક આંખમાં આંસુ આવી ગયાં તો થઈ ગઈ ભાવભક્તિ. જે સાધનનો ઉપયોગ કરવાથી તમારો ભાવ વધતો હોય તો એ સાધનનો ઉપયોગ કરો. સાધન શું કામ વાપરો છો એ મહત્ત્વનું નથી, ભાવ જન્મે અને ભાવ વધે એ મહત્ત્વનું છે. જપ કરવાથી ભાવ જાગતો હોય તો ખૂબ જપ કરો. શ્રવણથી ભાવ જાગતો હોય તો શ્રવણ કરો. સેવા કરવાથી ભાવ જાગતો હોય તો એ કરો અને માળા કરવાથી ભાવ જાગતો હોય તો માળા કરો. જે રીતે ભગવાનની ભક્તિ કરવી ગમે એ રીતે ભક્તિ કરવાથી ભગવાન મળતા હોય તો એ રીતે કરો. તમારા મનમાં ભાવ જાગે એ રીતે અને એ સાધનથી ભક્તિ કરો.


Whatsapp-channel Whatsapp-channel

01 January, 2026 12:38 PM IST | Mumbai | Morari Bapu

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK