અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા. હિન્દુ ધર્મમાં આ દિવસે આધ્યાત્મિક ગુરુની પૂજા અને સન્માન કરવાનું વિધાન છે.
કાલપીનું વ્યાસ મંદિર
આ પૂર્ણિમાએ મહાભારત ગ્રંથના રચયિતા તેમ જ વેદોના સંકલનકર્તા વેદવ્યાસજીનો જન્મદિવસ હોવાનું કહેવાય છે એથી ગુરુપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. આવતા રવિવારે વ્યાસ પૂર્ણિમાનું પર્વ છે એ અન્વયે જઈએ કાલપીના વ્યાસ મંદિરે જે વ્યાસજીનું જન્મસ્થળ હોવાનું મનાય છે


