તારક મહેતામાં દયાબેનના પાછા ફરવા પર સસ્પેન્સ!જાણો તેમના પતિએ શું કહ્યું
શું શોમાં પાછા ફરશે દિશા વાકાણી!
દિશા વાકાણીની તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં વાપસીને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. દિશા વાકાણીના પતિએ શોમાં તેની એન્ટ્રીને લઈને મોટું નિવેદન આપ્યું છે. બૉમ્બે ટાઈમ્સ સાથેની વાતચીતમાં મયૂરે કહ્યું કે, 'તેમણે એપિસોડ માટે એક પોર્શન શૂટ કર્યો છે. પરંતુ મેકર્સ સાથેની અમારી વાતચીતમાં હજી સમાધાન નથી થયું. એટલે દિશા હજી શોમાં પૂર્ણ રીતે નથી આવી રહી. મને આશા છે કે અમે કોઈ સમાધાન પર પહોંચીશું.'
તો દિશા વાકાણી એક નાનકડા પોર્શન માટે શોમાં આવતા અસિત મોદી ખુશ છે. તેમને આશા છે કે દિશા જલ્દી જ શોમાં પાછા ફરશે. અસિતનું કહેવું છે કે, અમારી વચ્ચે વાતચીત ચાલી રહી છે. અમે જલ્દી જ કોઈ નિષ્કર્ષ પર પહોંચીશું. અમે લાંબા સમયથી દિશા સાથે વાત કરી રહ્યા. છે. જેવું કે મે પહેલા પણ કહ્યું હતું કે શોથી મોટું કોઈ જ નથી.
ADVERTISEMENT
દિશા વાકાણીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડ્યો ત્યારથી તેમના શોમાં પાછા ફરવાની વાતો ચાલી રહી હતી. ચાહકો પણ લાંબા સમયથી તેમના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા. થોડા સમય પહેલા ખુદ દિશા વાકાણીએ શોમાં તેની એન્ટ્રીનો વીડિયો શેર કર્યો હતો.
આ પણ જુઓઃ Janki Bodiwala: છેલ્લો દિવસ ફૅમ એક્ટ્રેસની આ તસવીરો પરથી તમે નહીં હટાવી શકો નજર.
દિશા વાકાણી અને દિલીપ જોશીનું પાત્ર આ કોમેડી શો માટે ખૂબ જ મહત્વના છે. એટલે જ, છેલ્લે બે વર્ષથી બતાવવામાં આવી રહ્યું છે કે દિશા તેમના માતાના ઘરે છે. એવા અહેવાલો હતા કે દિશા નવરાત્રીમાં શોમાં એન્ટ્રી કરશે. પરંતુ દિશા વાકાણીના પતિના નિવેદન બાદ હવે શોમાં દિશાની એન્ટ્રી પર સસ્પેન્સ યથાવત છે.