દીપિકા પાદુકોણ સિંહે ખોલ્યું રહસ્ય, આ છે તેમના જીવનની સૌથી સુખદ ક્ષણ
દીપિકાએ ખોલ્યા લગ્ન સાથે જોડાયેલા રહસ્યો
અભિનેત્રી દીપિકા પાદુકોણે એક મેગેઝીનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેના લગ્ન સાથે જોડાયેલા યાદગાર પળોનો ખુલાસો કર્યો. દીપિકાએ કહ્યું કે લગ્ન સાથે જોડાયેલા કેટલાક પળો તેને આખી જિંદગી યાદ રહેશે. જેમાં તેની માતાએ તેનું કન્યાદાન કર્યું તે પળ પણ સામેલ છે.
કન્યાદાન મામલે જણાવતા દીપિકાએ કહ્યું કે, 'મારા લગ્નના કેટલાક યાદગાર ક્ષણો છે. જેમાં મારા માતા મારું કન્યાદાન કરી રહ્યા છે, તે પણ સામેલ છે. એ સિવાય જ્યારે હું મહેંદી લગાવી રહી હતી. એ દિવસે મહેંદી લગાવતા જ સૂરજનું ઉગવું મારા માટે ખુબ જ ખાસ ક્ષણોમાંથી એક છે. રણવીર અને મારો સૂરજ સાથે એક અલગ જ સંબંધ છે. અમને બંનેને સૂરજ પસંદ છે. બધુ ખુબ જ સરસ રહ્યું. અમારો કાંઈ પણ સામાન નથી ખોવાયો. અમારા કોઈ મહેમાન ફ્લાઈટ નથી ચુક્યા. બધુ એકદમ બરાબર હતું'.
આ પણ વાંચોઃ ભારતીય સશસ્ત્ર દળે કરી ઉરીના ટ્રેલર અને ડિજિટલ યુનિટની સરાહના
ADVERTISEMENT
દીપિકાએ કહ્યું કે 15 નવેમ્બરે જ્યારે આનંદ કરજની વિધિ પુરી થઈ. ત્યાં એક હોડી ઉભી હતી જે મને અને રણવીર સિંહને હોટેલ પાછી લઈ જવાની હતી. સૂરજ અસ્ત થઈ રહ્યો હતો અને આ પહેલી વાર હતું કે જ્યારે અમે અમારા લગ્નના સમયે એકલા જ હતા. એ સમયે અમે અમારા પસંદગીના ગીતો ફૂલ વોલ્યુમમાં સાંભળ્યા અને એવું લાગ્યું કે જાણે અમે સૂરજમાં ક્યાંક ખોવાઈ ગયા. મહત્વનું છે કે દીપિકા અને રણવીરના ગયા વર્ષે જ લગ્ન થયા છે. અને તે જલ્દી જ મેઘના ગુલઝારની ફિલ્મ છપાકમાં કામ કરતી નજર આવશે.