વડા પ્રધાન સાથે મુલાકાત કરી અનિલ કપૂરે
ચાય પે ચર્ચા: અનિલ કપૂર સાથે નરેન્દ્ર મોદી
થોડા દિવસ અગાઉ પણ બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝે તેમની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન તેમણે ફિલ્મોની સોસાયટી પર કેવી અસર હોય છે એ વિશે વાતચીત કરી હતી. અનિલ કપૂરે આ મુલાકાત કેમ કરી એ એક સવાલ છે. બની શકે કે તેની દીકરી રિયા કપૂરનાં લગ્નની વાતો ચાલી રહી છે એટલે તે આમંત્રણ આપવા માટે ગયો હોય. વડા પ્રધાન મોદી સાથે થયેલી મુલાકાતનો ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કરીને અનિલ કપૂરે લખ્યું હતું કે ‘મને આજે આપણા માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની તક મળી હતી.
આ પણ વાંચો : નવી જનરેશન ખૂબ જ સારી ફિલ્મો બનાવી રહી છે : ગુલઝાર
ADVERTISEMENT
અમારી વચ્ચે થયેલા સંવાદથી હું ખૂબ જ ખુશ થઈ ગયો છુ. આ મુલાકાત ખૂબ જ પ્રેરણાત્મક રહી હતી. તેમનો દૃષ્ટિકોણ અને પ્રભાવી વ્યક્તિત્વ ખૂબ અદ્ભુત છે. હું ખૂબ જ આભારી છું કે મને તેમની સાથે વ્યક્તિગત મુલાકાત કરવાનો અવસર મળ્યો.’