ઑગસ્ટના મધ્યમાં આ શો બંધ થઈ જશે
‘કાશીબાઈ બાજીરાવ બલ્લાલ’ સિરિયલ
‘કાશીબાઈ બાજીરાવ બલ્લાલ’ હવે બંધ થવા જઈ રહી છે. આ શોમાં મરાઠા વૉરિયર બાજીરાવની પત્ની કાશીબાઈની સ્ટોરી દેખાડવામાં આવી છે. છેલ્લા એક વર્ષથી દર્શકોને એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડ્યા બાદ હવે આ સ્ટોરીનો અંત આવી રહ્યો છે. ઑગસ્ટના મધ્યમાં આ શો બંધ થઈ જશે. આ શોમાં વેન્કટેશ પાંડેએ બાજીરાવ અને આરોહી પટેલે કાશીબાઈનું પાત્ર ભજવ્યું છે. આ શોએ માર્ચમાં જ સાત વર્ષનો લીપ લીધો હતો અને ત્યાર બાદથી રોહિત ચંડેલે બાજીરાવનું અને રિયા શર્માએ કાશીબાઈનું પાત્ર ભજવ્યું હતું. આ વિશે રોહિતે કહ્યું કે ‘દરેક શોનો એક અંત હોય છે. અમારી સ્ટોરીનો એક નૅચરલ અંત આવ્યો છે અને એની સાથે અમારી ઘણી યાદો જોડાયેલી છે. આ શો મેં વર્ષની શરૂઆતમાં જ જૉઇન કર્યો હતો, પરંતુ શોની કાસ્ટ એક ફૅમિલી જેવી બની ગઈ છે. બાજીરાવ તરીકે મેં સેટ પર જે પણ સમય પસાર કર્યો હતો એને હું હંમેશાં યાદ રાખીશ. આશા રાખું છું કે દર્શકો આગામી વર્ષોમાં પણ મને પ્રેમ આપતા રહેશે.’
રિયા શર્મા કહે છે કે ‘કાશીબાઈની આ સુંદર સ્ટોરીને લોકો સુધી પહોંચાડવા માટે મેકર્સે મને પસંદ કરી એ માટે હું તેમની આભારી છું. આશા રાખું છું કે તેમનાં એક્સપેક્ટેશનને હું પહોંચી શકી હોઉં. હું આ માટે યંગ કાશી આરોહી પટેલનો પણ આભાર માનું છું કે જેણે એક ફાઉન્ડેશન તૈયાર કર્યું હતું. એના કારણે મારા માટે કામ કરવું સરળ રહ્યું હતું. મને ખુશી છે કે આ શો મને મળ્યો અને એ મારા દિલની નજીક રહેશે.’