‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં તેઓ પહેલી વાર જ્યારે સાથે કામ કરવા આવ્યાં હતાં ત્યારે તેઓ એકમેકના પ્રેમમાં પડી ગયાં હતાં
પ્રિયંકા ઉદવાણી, અંશુલ પાન્ડે
પ્રિયંકા ઉદવાણી અને અંશુલ પાન્ડેની છ વર્ષની રિલેશનશિપનો હવે ધી એન્ડ આવી ગયો છે. ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં તેઓ પહેલી વાર જ્યારે સાથે કામ કરવા આવ્યાં હતાં ત્યારે તેઓ એકમેકના પ્રેમમાં પડી ગયાં હતાં. તેઓ છ વર્ષથી સાથે હતાં અને પ્રિયંકાને જ્યારે ખબર પડી કે અંશુલ તેની સાથે ચીટિંગ કરી રહ્યો છે ત્યારે તેમના સંબંધનો અંત આવ્યો છે. અંશુલની ઇન્સ્ટાસ્ટોરી પરથી પ્રિયંકાને ખબર પડી હતી કે તે કોઈ છોકરી સાથે વધુ સમય પસાર કરી રહ્યો છે. તેમ જ તે દિવસ દરમ્યાન વધુ સમય ઘરની બહાર રહેવા લાગ્યો હતો. આથી પ્રિયંકાને એ વાતની ખાતરી થઈ કે તેણે તરત જ અંશુલને બ્લૉક કરી દીધો હતો અને તેમના સંબંધનો અંત આવી ગયો હતો. પ્રિયંકાએ તેમના સંબંધનો અંત આણ્યો ત્યાર બાદ પણ ઘણી છોકરીઓએ તેને જણાવ્યું હતું કે અંશુલ તેમની સાથે પણ ફ્લર્ટ કરતો હતો.