Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સંતોષીમાએ વર્લ્ડ હેલ્થ ડેના દિવસે શું સલાહ આપી?

સંતોષીમાએ વર્લ્ડ હેલ્થ ડેના દિવસે શું સલાહ આપી?

08 April, 2021 02:25 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એન્ડ ટીવીના શોમાં સંતોષી માતાજીનું કૅરૅક્ટર કરતી ગ્રેસી સિંહે કહ્યું કે ન્યુ નૉર્મલને નૉર્મલ બનાવવા માટે કમ્ફર્ટ ઝોન તોડવો પડશે

સંતોષીમાએ વર્લ્ડ હેલ્થ ડેના દિવસે શું સલાહ આપી?

સંતોષીમાએ વર્લ્ડ હેલ્થ ડેના દિવસે શું સલાહ આપી?


ગઈ કાલે વર્લ્ડ હેલ્થ ડે હતો. કોવિડની મહામારી વચ્ચે આવેલા આ વર્લ્ડ હેલ્થ ડેના દિવસે એન્ડ ટીવીના શો ‘સંતોષી મા-સુનાએ વ્રત કથાએં’માં સંતોષી માનું કૅરૅક્ટર કરતી ગ્રેસી સિંહે કહ્યું હતું કે આજના સમયમાં આ દિવસનું મહત્ત્વ વધી જાય છે. જો હેલ્થની બાબતમાં હવે વધારે સ્ટ્રૉન્ગ બનવું હશે તો ન્યુ નૉર્મલને સહજ રીતે સ્વીકારીને આપણે આપણો જૂનો કમ્ફર્ટ ઝોન તોડવો પડશે. કમ્ફર્ટ ઝોન તૂટશે તો જ ન્યુ નૉર્મલ પણ સાચા અર્થમાં નૉર્મલ લાગવા માંડશે. 
ગ્રેસી સિંહે કહ્યું હતું, ‘આપણે એક્સરસાઇઝ કરવી પડશે અને આપણે જન્ક ફૂડને તિલાંજલિ આપવી પડશે અને આ બન્ને વાત અત્યાર પૂરતી જ નહીં, લાઇફટાઇમ માટે યાદ રાખવી પડશે. હવે હેલ્થની બાબતમાં સજાગ રહેવું અને જાગૃતિ રાખવી જ બેસ્ટ છે. કોવિડની મહામારી આપણે જોઈ લીધી, આ વાઇરસ સાથે રહેવાનું છે અને એ વાઇરસને સાથે રહીને હરાવવાનો છે તો આપણે શું કામ હવે તંદુરસ્ત લાઇફસ્ટાઇલ ન અપનાવીએ?’ સવારે છ વાગ્યે જાગવું અને રાતે દસ વાગ્યે સૂઈ જવું એ જ બહેતર લાઇફસ્ટાઇલ કહેવાય એવું પણ ગ્રેસીએ કહ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2021 02:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK