Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > TMKOC ફેમ જેનિફર મિસ્ત્રી જીતી કેસ, આસિત મોદીને લાખોનો દંડ પણ અભિનેત્રી નથી ખુશ

TMKOC ફેમ જેનિફર મિસ્ત્રી જીતી કેસ, આસિત મોદીને લાખોનો દંડ પણ અભિનેત્રી નથી ખુશ

26 March, 2024 06:40 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જેનિફર બંસીવાલ(Jennifer Mistry Bansiwal)એ જાતીય સતામણીનો કેસ જીતી લીધો છે. `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`ના નિર્માતા અસિત કુમાર મોદીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

આસિત મોદી અને જેનીફર મિસ્ત્રી

આસિત મોદી અને જેનીફર મિસ્ત્રી


Jennifer Mistry Bansiwal: લોકપ્રિય ટીવી શો `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. શોમાં રોશન સોઢીનું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે થોડા સમય પહેલા નિર્માતા અસિત કુમાર મોદી સામે માનસિક અને જાતીય સતામણીનો કેસ નોંધાવ્યો હતો. હવે આ કેસનો ચુકાદો આવ્યો છે અને જેનિફરની જીત થઈ છે.

જાતીય સતામણી કેસમાં જેનિફર મિસ્ત્રીની જીત



ઈ ટાઈમ્સના એક અહેવાલ મુજબ, આ કેસમાં શોના નિર્માતા અસિત કુમાર મોદીને દોષી ઠેરવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં હવે તેને જેનિફર મિસ્ત્રી (Jennifer Mistry Bansiwal)ને બાકીની રકમ અને 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો ઓર્ડર મળ્યો છે.


પરંતુ જેનિફર મિસ્ત્રી આ નિર્ણયથી ખુશ નથી. અભિનેત્રીએ કહ્યું કે, `આ નિર્ણય મારા પક્ષમાં છે, મેં લગાવેલા આરોપોના મજબૂત પુરાવા આપ્યા છે. મેં આ ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ મુંબઈ પોલીસ દ્વારા તેમની સામે 1લી તારીખ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પછી મેં મહારાષ્ટ્ર સરકારને અપીલ કરી અને હવે મને ન્યાય મળ્યો છે. અસિત કુમાર મોદીને મારી ચૂકવણીને જાણીજોઈને રોકી રાખવા બદલ મને મારા લેણાં અને વધારાનું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેની રકમ આશરે રૂ. 25-30 લાખ જેટલી થાય છે.

અભિનેત્રીએ આગળ કહ્યું, `આ કેસનો નિર્ણય 15 ફેબ્રુઆરીએ જ આવી ગયો હતો, પરંતુ મને મીડિયા સામે લાવવાની મનાઈ હતી. હવે તેને 40 દિવસથી વધુ સમય થઈ ગયો છે અને મને હજુ સુધી મારી બાકી રકમ મળી નથી. દોષી સાબિત થયા બાદ પણ આરોપીઓને કોઈ સજા કરવામાં આવી નથી.


અભિનેત્રીએ આ આરોપો લગાવ્યા હતા

નોંધનીય છે કે જેનિફર મિસ્ત્રી બંસીવાલે કહ્યું હતું કે હોળીના દિવસે શોના પ્રોડ્યુસર અસિત મોદી, પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજે તેની સાથે ગેરવર્તન કર્યું હતું. તે દિવસે આ ત્રણેએ જાણી જોઈને અભિનેત્રીને લાંબો સમય સેટ પર બેસાડી રાખી હતી. બધા ગયા પછી ત્રણેય જેનિફર સાથે ગેરવર્તન કર્યું. જેના કારણે તે ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. જેના કારણે તે પરેશાન થઈ ગઈ હતી.

અભિનેત્રીના આ આરોપો પર અસિત મોદીએ પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે જેનિફર તેના કામ પર બિલકુલ ધ્યાન નથી આપતી. પ્રોડક્શન તરફથી દરરોજ તેની સામે ફરિયાદો થતી હતી. શૂટિંગના છેલ્લા દિવસે પણ તેણે સેટ પર ખૂબ જ દુર્વ્યવહાર કર્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

26 March, 2024 06:40 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK