તેનું કહેવું છે કે તેમને સ્ટેજ પર પોતાની ટૅલન્ટ દેખાડવાની હોય છે
જય ભાનુશાલી
જય ભાનુશાલીનું કહેવું છે કે શો હોસ્ટ કરનારાઓને આજે પણ જોઈએ એટલું શ્રેય નથી મળતું. તેનું એમ પણ કહેવું છે કે જ્યારે કોઈ શોનો પ્રોમો શૂટ કરવામાં આવે છે ત્યારે એમાંથી હોસ્ટને બાકાત રાખવામાં આવે છે. એ વાતને લઈને તેનું દર્દ છલકાયું છે. એ વિશે જય ભાનુશાલીએ કહ્યું કે ‘મને આજે પણ એવું લાગે છે કે શો સફળ થયા બાદ પણ એને હોસ્ટ કરનારને જોઈએ એટલું શ્રેય નથી મળતું. અમારું કામ લોકોને મનોરંજન પૂરું પાડવાનું છે અને ક્યારેક તો લોકોને હસાવવા માટે અમે અમારા પર જ જોક કરીએ છીએ. આ જ કારણ છે કે અમારા તરફ ધ્યાન નથી અપાતું. એક ઍક્ટર તરીકે તેમને નૅશનલ અવૉર્ડ મળે છે. અમને શું કામ નૅશનલ અવૉર્ડ નથી મળતો? નૅશનલ અવૉર્ડમાં બધી જ કૅટેગરી છે, પરંતુ ઍન્કરિંગની નથી. આ જ કારણ છે કે મને લાગે છે કે અમારા કામની પ્રશંસા નથી થઈ રહી.’
તેનું કહેવું છે કે તેમને સ્ટેજ પર પોતાની ટૅલન્ટ દેખાડવાની હોય છે. એ વિશે જયે કહ્યું કે ‘કૉમેડિયન્સ કરતાં પણ અમારું કામ અઘરું છે. તેમને માટે ચાર જણ સ્ક્રિપ્ટ લખે છે. જોકે અમે સ્ટેજ પર હોઈએ છીએ ત્યારે અમને સ્ક્રિપ્ટ મળે છે, પણ ત્યારે અમે સ્પર્ધકોને ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા હોઈએ છીએ. તેમનો પર્ફોર્મન્સ પૂરો થાય ત્યારે લોકોને મનોરંજન પૂરું પાડવા માટે અમારે જાતે જ ટૅલન્ટ દેખાડવાની હોય છે. એ મોટી ચૅલેન્જ હોય છે.’