હું હવે મારા લોકોને વધુ પ્રેમ આપું છું અને તેમને પૂરતો સમય આપવાની કોશિશ કરું છું.
કાવેરી પ્રિયમ
કાવેરી પ્રિયમનું કહેવું છે કે તેના શો ‘દિલ દિયા ગલ્લાન’ના પાત્ર અમ્રિતાને કારણે તે તેના પેરન્ટ્સના ઇમોશનલ અને ફીલિંગ્સને લઈને વધુ જાગરૂક બની છે. આ વિશે વાત કરતાં કાવેરીએ કહ્યું કે ‘હું અમ્રિતાનું પાત્ર ઘણા સમયથી ભજવી રહી છું. આ શોમાં દેખાડવામાં આવી રહ્યું છે કે લાઇફમાં કેવી પરિસ્થિતિ આવે છે અને મિસકમ્યુનિકેશનને કારણે લોકો કઈ રીતે એકમેકથી દૂર થઈ જાય છે. મને લાગે છે કે ‘દિલ દિયા ગલ્લાન’ને કારણે હું પેરન્ટ્સની ફીલિંગ્સ અને ઇમોશન્સને વધુ સારી રીતે સમજી શકી છું. હું હવે મારા લોકોને વધુ પ્રેમ આપું છું અને તેમને પૂરતો સમય આપવાની કોશિશ કરું છું. ફૅમિલીથી દૂર રહેવું અને એ પણ અન્ય શહેરમાં, એ સરળ નથી. જોકે એ ખાલીપો હંમેશાં રહે છે જેને ફક્ત તમારા પેરન્ટ્સ જ ભરી શકે છે. હું નસીબદાર છું કે મારા પેરન્ટ્સ ખૂબ સપોર્ટિવ છે અને તેઓ હંમેશાં મારા સપોર્ટમાં રહ્યા છે.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)