‘કુંડલી ભાગ્ય’માંથી સ્વાતિ કપૂરની એક્ઝિટ પણ, નવો પ્લૉટ અથવા તો ટ્વિસ્ટ મળે અને તેને પાછી લાવવામાં આવે એવી હજી તેને આશા છે
સ્વાતિ કપૂર
‘કુંડલી ભાગ્ય’માં માહિરાના પાત્રમાં જોવા મળી રહેલી સ્વાતિ કપૂર હવે આ શોમાંથી એક્ઝિટ લઈ રહી છે. આ શોમાં માહિરા જ્યારથી લુથરા ફૅમિલીમાં એન્ટર થઈ છે ત્યારથી દરેક માટે મુસીબત લઈને આવી છે. તે પ્રીતાને દુખ પહોંચાડવા માટે કંઈ પણ કરી શકે છે. જોકે નવા ટ્વિસ્ટમાં તેણે લુથરા-ફૅમિલીથી દૂર થવું પડી રહ્યું છે. આ વિશે વાત કરતાં સ્વાતિએ કહ્યું હતું કે ‘માહિરાની મુબસાફરી ખૂબ સુંદર અને મારી બે વર્ષની આ મુસાફરી મને ખૂબ પસંદ છે. મને નહોતી ખબર કે માહિરા જેવું પાત્ર મારી લાઇફનો એક પાર્ટ બની જશે, પરંતુ એ નિયતિ હતી કે મને આ પાત્ર મળ્યું. મેં આ માટે કોઈ લુક ટેસ્ટ કે ઑડિશન નહોતું આપ્યું છતાં હું આ પાત્ર માટે પર્ફેક્ટ હતી. આ પાત્રના પૉઝિટિવ અને નેગેટિવ બન્ને શેડ્સ હતા. આ પાત્રને છેલ્લે સુધી ભજવવાની મને ખૂબ મજા આવી હતી.
આ શો મને છોડીને જવાનું ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે, પરંતુ કદાચ નવો ટ્વિસ્ટ અથવા તો પ્લૉટ મળે તો માહિરા ફરી સરપ્રાઇઝ એન્ટ્રી કરી શકે છે.
ADVERTISEMENT
શરૂઆતથી લઈને અંત સુધી આ શોની ટીમ ખૂબ સપોર્ટિવ હતી. હું તેમને દરેકને ખૂબ મિસ કરીશ. આ શોની સ્ક્રિપ્ટ પર મારું નામ વાંચવાને હું સૌથી વધુ મિસ કરીશ. દર્શકોએ મારી આ મુસાફરીને ખૂબ યાદગાર બનાવી એ બદલ હું તેમનો આભાર માનું છું.’