Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નવરાત્રિ માટેની કઈ આરતીમાં મલ્હાર ઠાકર અને પૂજા જોષી?

નવરાત્રિ માટેની કઈ આરતીમાં મલ્હાર ઠાકર અને પૂજા જોષી?

30 September, 2023 04:05 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

પૂજા જોષી અને મલ્હાર ઠાકરનું એક ગીત હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ એક આરતી છે.

મલ્હાર ઠાકર અને પૂજા જોષી

મલ્હાર ઠાકર અને પૂજા જોષી



પૂજા જોષી અને મલ્હાર ઠાકરનું એક ગીત હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ એક આરતી છે. નવરાત્રિ નજીક છે એથી એને રિલીઝ કરવામાં આવ્યું છે. આ આરતીનું નામ ‘જય આદ્યા શક્તિ’ છે. આ આરતી ઉમેશ બારોટ અને સાંતવની ત્રિવેદીએ ગાયું છે. જિગર ચૌહાણ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ આરતીને મિલન જોષી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. રાહુલ મુંજરિયા દ્વારા મ્યુઝિક પ્રોડક્શન અને અરેન્જમેન્ટ્સ કરવામાં આવ્યું છે. આ વિશે પૂજા જોષીએ કહ્યું કે ‘અમને આ આરતીનું શૂટિંગ કરવાની ખૂબ જ મજા આવી હતી, કારણ કે પ્રોડ્યુસર અને ડિરેક્ટરની સાથે ક્રૂના મેમ્બર પણ અમારા માટે ફૅમિલી જેવા હતા. હું દરેકને ખૂબ જ સારી રીતે ઓળખું છું અને તમારા ઓળખીતા લોકો સાથે કામ કરવાની વધુ મજા આવે છે. અંબા માતાની આ આરતી ખૂબ જ ફેમસ છે અને મને પણ ખૂબ જ પસંદ છે. નવરાત્રિના નવ દિવસે અમે આ આરતી રોજ કરીએ છીએ અને પછી ગરબા રમીએ છીએ. વર્ષોથી અમે એ કરતા આવ્યા છીએ અને જ્યારે આ જ આરતી મને ઑફર થઈ એ માટે હું જિગર ચૌહાણ પ્રોડક્શન્સનો ખૂબ આભાર માનું છું. આ ગીતનું ઓવરઑલ રિઝલ્ટ પણ ખૂબ જ સારું આવ્યું છે. દરેક ખૂબ જ સારા દેખાઈ રહ્યા છે. ઉમેશ બારોટ 
અને સાંતવનીએ ખૂબ જ સારી રીતે ગીત ગાયું છે. આ આરતી એકદમ ફ્રેશ લાગી રહી છે અને એ માટે હું દરેકનો આભાર માનું છું.’


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2023 04:05 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK