શાહરૂખ ખાને 15 મેના રોજ મુંબઈમાં ગૌરી ખાનની બુક ‘માય લાઇફ ઇન ડિઝાઇન’ લૉન્ચ કરી હતી. આ બુક ગૌરી ખાનની ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકેની તેની સફર ઉપર આધારિત છે. ઈવેન્ટને સંબોધિત કરતી વખતે, શાહરૂખ ખાને `મન્નત` બંગલોના ઈન્ટિરિયરને પરફેક્ટ કરવામાં ગૌરી ખાનના યોગદાન વિશે વાત કરી હતી. શાહરૂખ ખાને ખુલાસો કર્યો કે તેણે મન્નત કેવી રીતે ખરીદ્યો અને તે સમય જ્યારે શાહરૂખ પાસે મન્નતને ફર્નિશ કરવા માટે પૂરતા પૈસા નહોતા. કિંગ ખાને ઊમેરતા કહ્યું કે કેવી રીતે પૈસાના અભાવે ગૌરીએ તેનું ઘર ડિઝાઇન કરવાનું શરૂ કર્યું અને પછીથી તેણે આ ક્ષેત્રે જ પોતાની ફુલટાઈમ કરિઅર વિકલ્પ તરીકેની પસંદગી કરી.