સૂર્યાસ્તને જોતાં કોરોનાથી દૂર થવાની વાત કરતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું...
કોરોના વાઇરસને જોતાં ઘરમાં રહેતા પંકજ ત્રિપાઠીએ એક વિડિયો શૅર કરીને જણાવ્યું હતું કે કોરોનાને હરાવીને આપણે જીતી જઈશું. પંકજ ત્રિપાઠીએ સૂર્યાસ્તનો એક વિડિયો બનાવ્યો છે જેમાં તે કહી રહ્યો છે કે ‘આ આજનો સૂરજ છે, એ અસ્ત થઈ રહ્યો છે. ઘરે બાલ્કનીમાં ઊભો છું. તમે પણ ઘરમાં જ રહો. સલામત રહો. ઘરે રહીને તમે આ મહામારી સામે લડી રહ્યા છો. અનેક ક્રીએટિવ ચીજો કરી શકો છો એનો આનંદ લો. આપણે લડીશુ અને જીતી જઈશું. આજનો સૂરજ છે, જવાનો છે અને એ ગયો.’