ઉર્વશીએ આ ફિલ્મનું ત્રીજું શેડ્યુલ શરૂ કર્યું છે જેમાં તે પૂનમ મિશ્રાનું પાત્ર ભજવી રહી છે.
રણદીપ હૂડા અને ઉર્વશી રાઉતેલા
ઉર્વશી રાઉતેલાએ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’ના પાત્ર માટે રણદીપ હૂડા પાસે મદદ માગી હતી. ઉર્વશીએ આ ફિલ્મનું ત્રીજું શેડ્યુલ શરૂ કર્યું છે જેમાં તે પૂનમ મિશ્રાનું પાત્ર ભજવી રહી છે. આ વિશે વાત કરતાં ઉર્વશીએ કહ્યું હતું કે ‘મારા પાત્ર પૂનમ મિશ્રા માટે મેં રણદીપ હૂડાની મદદ લીધી હતી. તે ખૂબ જ અદ્ભુત ઍક્ટર અને ખૂબ જ સારો વ્યક્તિ છે. આથી હું તેમની પાસેથી ઘણું શીખી હતી. પાત્રની વાત કરીએ તો તેમનું પાત્ર ખૂબ જ સૉલિડ છે અને એને કારણે હું પણ સારી ઍક્ટર બની છું. હું તેમના કામ પર પ્રતિક્રિયા આપતી હતી અને તેમને સાંભળતી હતી. આ ખૂબ જ અદ્ભુત હતું.’
આ ફિલ્મના ડિરેક્ટર નીરજ પાઠક વિશે ઉર્વશીએ કહ્યું હતું કે ‘મારા ડિરેક્ટર નીરજ પાઠકનો હું ખૂબ જ આભાર માનું છું. તેમના દ્વારા મને ડિરેક્ટ કરવામાં આવી એની મને ખુશી છે. સેટ પર દરેક વ્યક્તિ ખૂબ જ પ્રેમથી કામ કરી રહી હતી અને એ અનુભવ ખૂબ જ સારો રહ્યો હતો.’