Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મહાવતાર નરસિંહા OTT પર આવી રહી છે? નિર્માતાઓએ ખંડન કર્યું અફવાનું

મહાવતાર નરસિંહા OTT પર આવી રહી છે? નિર્માતાઓએ ખંડન કર્યું અફવાનું

Published : 07 August, 2025 07:14 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મ ‘સૈયારા’ની બમ્પર કમાણી વચ્ચે ‘મહાવતાર નરસિંહા’ની સફળતાએ ધ્યાન ખેંચ્યું છે.

ફિલ્મનું પોસ્ટર

ફિલ્મનું પોસ્ટર


ફિલ્મ ‘સૈયારા’ની બમ્પર કમાણી વચ્ચે ‘મહાવતાર નરસિંહા’ની સફળતાએ ધ્યાન ખેંચ્યું છે. આ ફિલ્મને સારી લોકપ્રિયતા મળી છે ત્યારે એની OTT-રિલીઝને લઈને અટકળો શરૂ થઈ છે. ડિજિટલ પ્લૅટફૉર્મ પર ફિલ્મ આવવાની ચર્ચાઓ પર નિર્માતાઓએ પોસ્ટ શૅર કરીને પ્રતિક્રિયા આપી છે.

ફિલ્મના નિર્માતાઓએ ‘મહાવતાર નરસિંહા’ની OTT-રિલીઝ વિશેની ખબરોને અફવા ગણાવી છે. તેમણે સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે હાલમાં ફિલ્મ ફક્ત સિનેમાઘરોમાં જ ચાલી રહી છે, OTT-રિલીઝની વાતો માત્ર અફવા છે. નિર્માતાઓએ લખ્યું છે કે ‘અમે ‘મહાવતાર નરસિંહા’ને લઈને દર્શકોના ઉત્સાહ અને OTT પર થઈ રહેલી ચર્ચા બદલ આભારી છીએ, પરંતુ હજી સુધી આ ફિલ્મ વિશ્વભરનાં સિનેમાઘરોમાં જ ચાલી રહી છે. હાલમાં કોઈ OTT-ડીલ ફાઇનલ નથી થઈ.’


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2025 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK