Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંત સિંહ રાજપૂતને ન્યાય અપાવવા માટે ઑનલાઇન કૅમ્પેન શરૂ કર્યું તેની બહેને

સુશાંત સિંહ રાજપૂતને ન્યાય અપાવવા માટે ઑનલાઇન કૅમ્પેન શરૂ કર્યું તેની બહેને

29 April, 2024 06:23 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૦ની ૧૪ જૂને તેણે બાંદરાના તેના મકાનમાં કથિત રૂપે સુસાઇડ કર્યું હતું. ત્યારથી તેના મૃત્યુની તપાસનું કારણ CBI શોધી રહ્યું છે.

સુશાંત સિંહ રાજપૂત , શ્વેતા સિંહ કીર્તિ

સુશાંત સિંહ રાજપૂત , શ્વેતા સિંહ કીર્તિ


સુશાંત સિંહ રાજપૂતના અવસાનનું રહસ્ય હજી પણ ઉકેલાયું નથી. ૨૦૨૦ની ૧૪ જૂને તેણે બાંદરાના તેના મકાનમાં કથિત રૂપે સુસાઇડ કર્યું હતું. ત્યારથી તેના મૃત્યુની તપાસનું કારણ CBI શોધી રહ્યું છે. એથી સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ તેને ન્યાય અપાવવા માટે ઑનલાઇન કૅમ્પેન શરૂ કર્યું છે. સાથે જ પ્રશાસનને પણ આ કેસમાં ઝડપ લાવવાની વિનંતી કરી છે. તેણે #Nyay4SSRજનઆંદોલનની શરૂઆત કરી છે. એની માહિતી ઇન્સ્ટાગ્રામ પર આપતાં શ્વેતાએ લખ્યું કે ‘મારા ભાઈ સુશાંતના અવસાનને ચાર વર્ષ થવાનાં છે. હું CBIને વિનંતી કરું છું કે તેમની તપાસમાં ઝડપ લાવે અને સત્ય બહાર પાડે. એના માટે તમે બધા મને સાથ આપો. તમારા હાથ કાં તો કપાળે લાલ કપડું બાંધો, એનો ફોટો ક્લિક કરો અને એને #Nyay4SSRજનઆંદોલન સાથે શૅર કરો.’


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 06:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK