દિલ બેચારામાં એક આરજેએ સુશાંતના ડાયલૉગને ઠેકાણે પોતાનો અવાજ આપ્યો છે. આ કેવી રીતે થયું એ વિશે પોતે આરજે આદિત્યએ મિસ માલિની સાથે વાતચીતમાં સવિસ્તર જણાવ્યું છે.
ફાઇલ ફોટો
ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂવ 2020ના આ વિશ્વને અલવિદા કહી દીધું હતું. એક્ટરના નિધન પછી તેની છેલ્લી ફિલ્મ `દિલ બેચારા`ને ઓટીટી પ્લેટફૉર્મ ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવી. દર્શકોએ પણ આ ફિલ્મને વખાણી. પણ શું તમે જાણો છો કે, `દિલ બેચારા`ના કેટલાક સીન્સમાં સુશાંતનો અવાજ નથી? પણ એક આરજેએ ફિલ્મમાં તેમનો અવાજ ડબ કર્યો છે તે પણ સુશાંતના નિધન પછી. દિલ બેચારામાં એક આરજેએ સુશાંતના ડાયલૉગને ઠેકાણે પોતાનો અવાજ આપ્યો છે. આ કેવી રીતે થયું એ વિશે પોતે આરજે આદિત્યએ મિસ માલિની સાથે વાતચીતમાં સવિસ્તર જણાવ્યું છે.
હકીકતે, ફિલ્મમાં સુશાંતમી અમુક ડબિંગ બાકી હતી, પણ અભિનેતા તે પૂરી કરી શકે તે પહેલા તેનું નિધન થઈ ગયું. જેના પછી છેલ્લી ઘડીએ આરજે આદિત્યની મદદ લેવામાં આવી . આ વિશે વાત કરતાં આરજેએ કહ્યું કે, "મને લાગે છે કે આ બધું સુશાંતના એકાએક ગયા પછી શરૂ થયું. કોઇએ પણ વિચાર્યું નહોતું કે આવું કંઇક થઈ શકે છે. તેના નિધન પછી ફિલ્મની ડબિંગ બાકી હતી જે સુશાંત પોતે હવે ક્યારેય કરી શકવાનો નહોતો. દિલ બેચારાની ટીમ એક વૉઇસ આર્ટિસ્ટની શોધમાં હતી. આ માટે તેમણે અનેક વૉઇસ આર્ટિસ્ટનો ઑડિશન લીધો પણ મેળ ન પડ્યો, છેલ્લે હું તેમને મળ્યો."
ADVERTISEMENT
View this post on Instagram
"એક દિવસ મુકેશ છાબરાની ઑફિસમાંથી મારી પાસે એક વ્યક્તિ આવ્યો અને તેણે કહ્યું કે હું સુશાંતની મિમિક્રી કરવાનો પ્રયત્ન કરું. તેણે મને સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ `એમ એસ ધોની`ના ટાઇમની એક ક્લિપ મોકલી જેમાં હું એક્ટરનો અવાજ ડબ કરવાનો પ્રયત્ન કરતો હતો. સુશાંતનો અવાજ કૉપી કરવામાં મને થોડોક સમય લાગ્યો, કારણકે મેં તેમનો અવાજ કૉપી કરવાનો પ્રયત્ન પણ ક્યારેય નથી કર્યો, આ પહેલીવાર હતો જ્યારે હું સુશાંતનો અવાજ કૉપી કરી રહ્યો હતો. પણ જ્યારે મેં મારી ઑડિશન ટેપ તેમને મોકલી તો મને મુકેશ છાબડાની ઑફિસમાંથી ફોન આવ્યો, તેણે મને કહ્યું કે મુકેશ છાબડા તમારી સાથે વાત કરવા માગે છે." આરજેએ જણાવ્યું કે સુશાંતનો અવાજ કૉપી કરવામાં તેમણે બે દિવસનો સમય હજી લીધો જેથી તે પાત્રમાં ઇમોશન્સ પણ બતાવી શકે.