આ ફિલ્મને ૧૪ ભાષામાં અને પંચાવન દેશમાં રિલીઝ કરવામાં આવશે
સુદીપ કિચ્ચા
સુદીપ કિચ્ચાની ‘વિક્રાન્ત રોણા’ને ૧૯ ઑગસ્ટે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને થિયેટર્સમાં જ રિલીઝ કરવામાં આવશે. સુદીપ કિચ્ચાને ઇન્ડસ્ટ્રીમાં ૨૫ વર્ષ પૂરાં થયાં છે અને તેની આ ફિલ્મને ૧૪ ભાષામાં અને પંચાવન દેશમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને પ્રોડ્યુસ જૅક મંજુનાથ દ્વારા કરવામાં આવી છે અને ડિરેક્ટ અનુપ ભંડારીએ કરી છે. આ વિશે અનુપ ભંડારીએ કહ્યું હતું કે ‘હું રિલીઝની જાહેરાતથી ખૂબ જ એક્સાઇટેડ છું. અમારું પોસ્ટ-પ્રોડક્શનનું કામ જોરશોરમાં ચાલી રહ્યું છે. અમારી ટીમ સાથે બેસ્ટ ટેક્નિશ્યન જોડાયેલા છે અને અમે ‘વિક્રાન્ત રોણા’ દ્વારા દર્શકોને બેસ્ટ એક્સ્પીરિયન્સ આપવાની કોશિશ કરીશું.’