Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સ્કેમ અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું નિધન, હૃદય સંબંધિત બિમારીથી પીડાતા હતા

સ્કેમ અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું નિધન, હૃદય સંબંધિત બિમારીથી પીડાતા હતા

04 August, 2022 08:39 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અભિનેતા ચતુર્વેદી હૃદય સંબંધિત બિમારીથી પીડાતા હતા. તેમણે લખનૌમાં અંતિમ શ્વાસ લીધા.

મિથિલેશ ચતુર્વેદી

મિથિલેશ ચતુર્વેદી


લોકપ્રિય પીઢ અભિનેતા મિથિલેશ ચતુર્વેદી (Mithilesh Chaturvedi)નું નિધન થયું છે. ગઈકાલે મોડી સાંજે 3 ઓગસ્ટના રોજ તેમનું અવસાન થયું. અભિનેતા ચતુર્વેદી હૃદય સંબંધિત બિમારીથી પીડાતા હતા. તેમણે લખનૌમાં અંતિમ શ્વાસ લીધા. 

તેમનું નિધન થયું એ પહેલા મિથિલેશને હાર્ટ એટેક આવ્યો હતો. જો કે ત્યાર બાદ તે સંપૂર્ણપણે સ્વસ્થ થવા માટે તેના વતન લખનૌ શિફ્ટ થઈ ગયા હતા.



તે ઘણી જાહેરાતો અને ટીવી શો જેમ કે પટિયાલા બેબ્સ અને સ્કેમ જેવા વેબ શોમાં પણ જોવા મળ્યા હતા, જેમાં તેમણે રામ જેઠમલાણીની ભૂમિકા ભજવી હતી. તેમની છેલ્લી ફિલ્મ અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સાથે `ગુલાબો સિતાબો` હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 August, 2022 08:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK