Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હેલ્થને કારણે અક્ષયકુમારની વેલકમ ટુ ધ જંગલ છોડી સંજય દત્તે?

હેલ્થને કારણે અક્ષયકુમારની વેલકમ ટુ ધ જંગલ છોડી સંજય દત્તે?

Published : 22 May, 2024 10:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘વેલકમ’ સિરીઝની ત્રીજી ફિલ્મને ‘વેલકમ ટુ ધ જંગલ’ નામ આપવામાં આવ્યું છે

‘વેલકમ ટુ ધ જંગલ’નો સીન

‘વેલકમ ટુ ધ જંગલ’નો સીન


અક્ષયકુમારની ‘વેલકમ ટુ ધ જંગલ’ને સંજય દત્તે હેલ્થના કારણે છોડી દીધી હોવાની ચર્ચા છે. ‘વેલકમ’ સિરીઝની ત્રીજી ફિલ્મને ‘વેલકમ ટુ ધ જંગલ’ નામ આપવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ઘણી સેલિબ્રિટીઝનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં સંજય દત્ત અને અર્શદ વારસીની જોડી પણ ચર્ચાનો વિષય હતો. 2023ની ડિસેમ્બરમાં અક્ષયકુમારે જાહેરાત કરી હતી કે ફિલ્મમાં સંજય દત્ત પણ જોવા મળશે. આ ફિલ્મનું ઘણું શૂટિંગ પૂરું કરવામાં આવ્યું છે. સંજય દત્તે મઢ આઇલેન્ડમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. તેણે પંદર દિવસનું શૂટિંગ કર્યું હોવાની ચર્ચા હતી, પરંતુ એક જ દિવસ કર્યું હોવાની વાતો બહાર આવી રહી છે. ફિલ્મમાં તેના પાત્રના ઘણાં એક્શન દૃશ્ય હોવાથી તેણે હેલ્થને ધ્યાનમાં રાખીને ફિલ્મમાંથી એક્ઝિટ લીધી હોવાની ચર્ચા છે.


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2024 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK