Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Sana Khan Wedding: બિગ બૉસ 6 કોન્ટેસ્ટન્ટ સના ખાનના થયા લગ્ન

Sana Khan Wedding: બિગ બૉસ 6 કોન્ટેસ્ટન્ટ સના ખાનના થયા લગ્ન

22 November, 2020 07:34 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Sana Khan Wedding: બિગ બૉસ 6 કોન્ટેસ્ટન્ટ સના ખાનના થયા લગ્ન

સના ખાન

સના ખાન


બિગ બૉસ 6માં જોવા મળેલી ફિલ્મ અભિનેત્રી સના ખાને તાજેતરમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવાની લાત કરી હતી. હવે તેણે શુક્રવારે રાતે મુફ્તી અનસ સાથે લગ્ન કરી લીધા છે. તેના લગ્ન સાથે જોડાયેલા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આમાં તે પતિ સાથે જોવા મળે છે. તેના પતિએ પણ પારંપરિક વેશભૂષા કૅરી કરી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Sayied Sana Khan (@sanakhaan21)




એક તસવીરમાં બન્ને હાથમાં હાથ પકડેલા જોવા મળે છે. તો બીજા વીડિયોમાં બન્ને લગ્નનો કેક કાપી રહ્યા છે. આમાં પરિવારના અન્ય લોકો પણ સામેલ છે. ફોટો અને વીડિયોને જોઇને એવું લાગે છે કે આ એક પારિવારિક આયોજન હતું. સના ખાન આ પહેલા કોરિયોગ્રાફર મેલ્વિન લુઇસ સાથે પોતાના બ્રેકઅપને લઈને ચર્ચામાં હતી. તેણે મેલ્વિન લુઇસ પર કેટલીય વાર વાયલેન્સ અને ચીટિંગ કરવાનો આરોપ મૂક્યો હતો.

 
 
 
View this post on Instagram

A post shared by Adnan Daud (@adnan__daud)


સનાએ પોતાનો દુઃખ-તકલીફ સાર્વજનિક પણ કરી હતી અને તેણે કેટલાય વૉટ્સએપ મેસેજ પણ સોશિયલ મીડિયા પર સાબિતી તરીકે પોસ્ટ કર્યા હતા. જો કે, હવે તેમણે લગ્ન કરી લીધા છે. ગયા મહિને સના ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડીને માનવતાની સેવા કરવાની વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, "મારી સૌથી સુખદ ક્ષણ, અલ્લાહ મારા આ પ્રવાસમાં મદદ કરે, તમે બધા મને દુઆમાં યાદ રાખજો." સના ખાન બોલીવુડ અભિનેત્રી રહી ચૂકી છે અને તે પોતાના ગ્લેમરસ અંદાજ માટે લોકપ્રિય હતી. તેણે અનેક ફિલ્મોમાં બોલ્ડ સીન પણ કર્યા છે, જે ખૂબ જ લોકપ્રિય પણ થયા હતા.

 
 
 
View this post on Instagram

A post shared by ULTIMATE BOLLYWOOD (@ultimatebollywood)

સના ખાને કેટલાય પ્રશ્નોની શ્રૃંખલા પણ શૅર હતી, જેના તે જવાબ શોધી રહી હતી. તેના નોટના એક ભાગમાં લખ્યું હતું, "શું આ તેની કે તેના કર્તવ્યનો એક ભાગ છે જે જરૂરિયાતમંદ અને અસહાય લોકોની સેવામાં પોતાનું જીવન વિતાવે છે? કોઇ વ્યક્તિએ આ ન વિચારવું જોઇએ કે તે કોઇપણ ક્ષણે મરી શકે છે? અને તેના પછી તેનું શું થશે/ તે નહીં હોય? હું ઘણાં સમય સુધી આ બન્ને પ્રશ્નોના જવાબ શોધતી રહી, ખાસ કરીને બીજા સવાલનો કે મારા મરી ગયા પછી મારું શું થશે?"

Whatsapp-channel Whatsapp-channel

22 November, 2020 07:34 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK