Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જો ધુરંધર ફ્લૉપ ગઈ હોત તો મેં ડૉન 3 ન છોડી હોત

જો ધુરંધર ફ્લૉપ ગઈ હોત તો મેં ડૉન 3 ન છોડી હોત

Published : 04 June, 2026 11:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડૉન 3ના વિવાદને ઉકેલવા માટે થયેલી મીટિંગમાં રણવીર સિંહે આવો જવાબ આપ્યો હોવાનો રિપોર્ટ

રણવીર સિંહની ફાઇલ તસવીર

રણવીર સિંહની ફાઇલ તસવીર


રણવીર સિંહ અને ફિલ્મમેકર ફરહાન અખ્તરની ફિલ્મ ‘ડૉન 3’ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે એક નવો દાવો સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ વિવાદ ચરમસીમાએ હતો ત્યારે બૉલીવુડના કેટલાક મહત્ત્વના લોકોને મધ્યસ્થી બનાવીને રણવીર અને ‘ડૉન 3’ના મેકર્સ વચ્ચે એક મીટિંગ યોજવામાં આવી હતી. હવે મળતી માહિતી પ્રમાણે આ મીટિંગમાં ‘ડૉન 3’ના નિર્માતા રિતેશ સિધવાનીએ ઍક્ટર રણવીર સિંહને સીધો સવાલ પૂછ્યો હતો કે જો ‘ધુરંધર’ બૉક્સ-ઑફિસ પર સફળ ન રહી હોત તો શું તે ‘ડૉન 3’ છોડવાનો નિર્ણય લેત? આ સમયે રણવીરે સ્પષ્ટ કહ્યું હતું કે જો ‘ધુરંધર’ ફ્લૉપ ગઈ હોત તો મેં ‘ડૉન 3’ ન છોડી હોત. જોકે આ દાવા અંગે રણવીર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2026 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK