રાની મુખરજીની ઑટોબાયોગ્રાફી આવતા વર્ષે તેના બર્થ-ડે નિમિત્તે ૨૧ માર્ચે રિલીઝ કરવામાં આવશે. હાર્પર કોલિન્સ એને પબ્લિશ કરશે.
રાની મુખરજી
રાની મુખરજીની ઑટોબાયોગ્રાફી આવતા વર્ષે તેના બર્થ-ડે નિમિત્તે ૨૧ માર્ચે રિલીઝ કરવામાં આવશે. હાર્પર કોલિન્સ એને પબ્લિશ કરશે. આ બુકમાં રાનીની પર્સનલ અને પ્રોફેશનલ જર્નીની માહિતી આપવામાં આવશે. સાથે જ રીડર્સને બૉલીવુડ સ્ટારની લાઇફ વિશે જાણી-અજાણી બાબતો જાણવા મળશે. મેમ્વાર બનવા વિશે રાનીએ કહ્યું કે ‘છેલ્લાં પચીસ વર્ષ મેં ભારતીય સિનેમામાં ખૂબ સારી રીતે પસાર કર્યાં છે. મેં કદી પણ મારી લાઇફ અને સિનેમામાં મારી જર્ની વિશે ચર્ચા નથી કરી. એક મહિલા તરીકે સિનેમામાં જજ કરવામાં આવે છે. આ બુક મારી પર્સનલ લાઇફ, તકલીફ અને એની મારા પર પડેલી અસર પર પ્રકાશ પાડશે. મને કદી પણ પાછળ જોવાનો સમય નથી મળ્યો અને કદી પણ આત્મવિશ્લેષણ નથી કર્યું. આ મેમ્વાર દ્વારા હું ફરીથી મારા વીતેલા સમય અને બાળપણને યાદ કરીશ. આ બુક મારા ફૅન્સ અને એ તમામ લોકો માટે છે જેમણે મને ભરપૂર પ્રેમ આપ્યો છે. આવતા વર્ષે મારા બર્થ-ડે નિમિત્તે જ્યારે મારી આ બુક રિલીઝ થશે ત્યારે લોકોનાં શું રીઍક્શન્સ હશે એ જાણવા માટે હું આતુર છું. એ બાબત મારા દિવસને વધુ સ્પેશ્યલ બનાવશે.’