દેશભરમાં ગઈ કાલે મકર સંક્રાન્તિ, પોંગલ, બિહૂ અને લોહરીના પર્વ ઊજવવામાં આવ્યાં હતાં
રજનીકાન્ત
કોરોનાના કેરની વચ્ચે રજનીકાન્તે સૌને પોંગલની શુભકામના આપી છે. દેશભરમાં ગઈ કાલે મકર સંક્રાન્તિ, પોંગલ, બિહૂ અને લોહરીના પર્વ ઊજવવામાં આવ્યાં હતાં. વિવિધ રાજ્યોમાં આ ઉત્સવ અલગ-અલગ નામે ઓળખાય અને મનાવવામાં આવે છે. જોકે કોવિડ પણ ખાસ્સો ફેલાયો છે. એને જોતાં સાઉથની ભાષામાં ટ્વિટર પર રજનીકાન્તે ટ્વીટ કર્યું હતું, ‘આપણે બધા આજે ખૂબ કપરા અને જોખમી સમયમાં રહીએ છીએ. દિવસે-દિવસે કોરોના વાઇરસ લોકોને પોતાના ભરડામાં લઈ રહ્યો છે. આ વાઇરસથી પોતાને બચાવવા માટે આપણે તમામ નિયમોનું પાલન કરવું જરૂરી છે. આપણા સ્વાસ્થ્ય કરતાં વધુ અગત્યનું કંઈ નથી. દરેકને પોંગલની શુભકામના.’