Nikita Roy: કુશ સિંહાએ ડિરેક્ટ કરેલી ફિલ્મમાં સોનાક્ષી સાથે અર્જુન રામપાલ, પરેશ રાવલ અને સુહેલ નૈય્યર મુખ્ય ભુમિકામાં
ફિલ્મ ‘નિકિતા રોય’નું પોસ્ટર
હોરર અને રોમેન્ટિક ફિલ્મો પછી, સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) હવે એક થ્રિલર ડ્રામા લઈને આવી રહી છે જે આજે એટલે કે 30 મે ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. જોકે ફિલ્મની રિલીઝ ડેટ પાછળ ઠેલવાઈ હોવાનું જાણવા મળ્યું છે. સોનાક્ષી સિંહાની સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ ‘નિકિતા રોય’ (Nikita Roy) છે જેનું નિર્દેશન અભિનેત્રીના ભાઈ કુશ સિંહા (Kussh S. Sinha) કરી રહ્યા છે. આ થ્રિલર ડ્રામા હવે ૨૭ જુને રિલીઝ થશે.
‘નિકિતા રોય’ એક મનોવૈજ્ઞાનિક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે, જેમાં સોનાક્ષી સિંહા મુખ્ય ભૂમિકામાં છે. તે નિકિતાનું પાત્ર ભજવતી જોવા મળશે. ગયા મહિને એટલે કે એપ્રિલમાં, જાહેરાત કરવામાં આવી હતી કે આ થ્રિલર ડ્રામા ૩૦ મે ના રોજ સિનેમાઘરોમાં આવશે, પરંતુ હવે તેની રિલીઝ તારીખ મુલતવી રાખવામાં આવી છે. ‘નિકિતા રોય’ની રિલીઝ ડેટ એક મહિના માટે મુલતવી રાખવામાં આવી છે. તાજેતરમાં સોનાક્ષી સિંહાએ એક પોસ્ટ દ્વારા ફિલ્મની નવી રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. અભિનેત્રીએ પોતાની ફિલ્મનું પોસ્ટર શેર કરીને કેપ્શન આપ્યું હતું, ‘તમારા કેલેન્ડર્સને ચિહ્નિત કરો. અમારી થ્રિલર ફિલ્મ `નિકિતા રોય`ની હવે નવી રિલીઝ ડેટ છે.’
ADVERTISEMENT
View this post on Instagram
નિકી વિકી ભગનાની ફિલ્મ્સ (Nicky Vicky Bhagnani Films), નિકિતા રોય (Nikita Roy) દ્વારા નિર્મિત ફિલ્મમાં સોનાક્ષી સિંહાની સાથે અર્જુન રામપાલ (Arjun Rampal), પરેશ રાવલ (Paresh Rawal) અને સુહેલ નૈય્યર (Suhail Nayyar) મુખ્ય ભુમિકામાં છે.
કુશ એસ. સિંહા દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ મનોવૈજ્ઞાનિક જટિલતા અને ભાવનાત્મક તણાવમાં મૂળ ધરાવતા તીવ્ર અનુભવ આપવાનું વચન આપે છે. પ્રખ્યાત થ્રિલર નિષ્ણાત પવન કિરપલા (Pavan Kirpalani)ની દ્વારા લખાયેલ, ફિલ્મ ‘નિકિતા રોય’ દ્રષ્ટિ અને વાસ્તવિકતા વચ્ચેની નાજુક સીમા, પેરાનોઇયાના વિષયો, દફનાવવામાં આવેલા સત્યો અને માનવ મનના ઘેરા છિદ્રોને ઉજાગર કરે છે. એક આકર્ષક વાર્તા અને મજબૂત કલાકારોના સમર્થન સાથે, `નિકિતા રોય` સમકાલીન હિન્દી સિનેમાના મનોવૈજ્ઞાનિક થ્રિલર ક્ષેત્રમાં એક શૈલી-વ્યાખ્યાયિત પ્રવેશ કરવા માટે તૈયાર છે.
નિકિતા પાઈ ફિલ્મ્સ લિમિટેડ (Nikita Pai Films Ltd) પ્રોડક્શન, નિર્માતા નિક્કી ખેમચંદ ભગનાની (Nickky Khemchand Bhagnani), વિક્કી ભગનાની (Vicky Bhagnani), અંકુર ટાકરાણી (Ankur Takrani), દિનેશ રતિરામ ગુપ્તા (Dinesh Ratiram Gupta) અને ક્રાટોસ એન્ટરટેઈનમેન્ટ (Kratos Entertainment)ના સહયોગથી કિંજલ અશોક ઘોને (Kinjal Ashok Ghone) આ પ્રોજેક્ટનું નેતૃત્વ કર્યું છે. આ ફિલ્મને સહ-નિર્માતા આનંદ મહેતા (Anand Mehta), પ્રકાશ નંદ બિજલાની (Prakash Nand Bijlani), શક્તિ ભટનાગર (Shakti Bhatnagar), મેહનાઝ શેખ (Mehnaaz Shaikh) અને પ્રેમ રાજ જોશી (Prem Raj Joshi)નું પણ સમર્થન છે, જેમાં સુફ્રત ખાન (Sufrat Khan) એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે.
ફિલ્મ ‘નિકિતા રોય’ની નવી રિલીઝ તારીખ નક્કી થઈ ગઈ છે. ફિલ્મના થિયેટર ડેબ્યૂનું કાઉન્ટડાઉન શરૂ થાય છે જે એક સિનેમેટિક સફરનું વચન આપે છે જે દર્શકોને ચોક્કસ ગમશે તેવી મેકર્સને આશા છે.
‘નિકિતા રોય’ ૨૭ જુને થિયેટરમાં રિલીઝ થશે.


