Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કિઆરા અડવાણી બનશે મીનાકુમારી?

કિઆરા અડવાણી બનશે મીનાકુમારી?

Published : 25 June, 2025 08:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જો કિઆરા આ ફિલ્મ સાઇન કરે છે તો આ તેની ગર્ભાવસ્થા પછીનો પ્રથમ પ્રોજેક્ટ હોઈ શકે છે.

કિઆરા અડવાણી, મીનાકુમારી

કિઆરા અડવાણી, મીનાકુમારી


છેલ્લા કેટલાક સમયથી મીનાકુમારીની બાયોપિક બનાવવાની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. થોડા સમય પહેલાં મીનાકુમારીના રોલ માટે ક્રિતી સૅનનના નામની ચર્ચા હતી, પણ હવે આ રોલની ઑફર કિઆરા અડવાણીને કરવામાં આવી હોવાના સમાચાર છે. આ ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિએ માહિતી આપી છે કે મીનાકુમારીના રોલ માટે કિઆરાનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેને સ્ક્રિપ્ટ ખૂબ પસંદ આવી છે, પણ તેણે હજી સુધી આ પ્રોજેક્ટને સાઇન નથી કર્યો. ફિલ્મની ટીમને લાગે છે કે કિઆરા તેના લુક અને ઍક્ટિંગ સ્કિલને કારણે મીનાકુમારી તરીકે પર્ફેક્ટ પસંદગી છે.


મીનાકુમારની ગણતરી બૉલીવુડની ખ્યાતનામ ઍક્ટ્રેસ તરીકે થાય છે. તેમણે ‘બૈજુ બાવરા’, ‘પરિણીતા’, ‘સાહિબ બીબી ઔર ગુલામ’, ‘કાજલ’ અને ‘પાકીઝા’ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. ૩૮ વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું હતું. મીનાકુમારીની બાયોપિકના અધિકારો સિદ્ધાર્થ પી. મલ્હોત્રાએ સારેગામા અને અમરોહી પરિવાર સાથે મળીને હસ્તગત કર્યા છે. ફિલ્મનિર્માતા અને મીનાકુમારીના પતિ કમાલ અમરોહીના પરિવારે આ સત્તાવાર બાયોપિકને સમર્થન આપ્યું છે.



જો કિઆરા આ ફિલ્મ સાઇન કરે છે તો આ તેની ગર્ભાવસ્થા પછીનો પ્રથમ પ્રોજેક્ટ હોઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

25 June, 2025 08:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK