આ એપિસોડમાં તેમની મમ્મી મીના નય્યર ગેસ્ટ તરીકે પહોંચ્યાં હતાં. અનુજે યુદ્ધ દરમ્યાન પાકિસ્તાનનાં ત્રણ બંકર્સને મશીન ગનથી ફૂંકી નાખ્યાં હતાં
કારગિલ વૉરમાં શહીદ થનાર અનુજ નય્યરની બહાદુરીને બિરદાવશે ‘ઇન્ડિયન આઇડલ’
૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન નિમિત્તે ‘ઇન્ડિયન આઇડલ 13’માં ‘રિપબ્લિક ડે સ્પેશ્યલ એપિસોડ’ દેખાડવામાં આવશે. એમાં કારગિલ યુદ્ધમાં શહીદ થનાર અનુજ નય્યરની બહાદુરીને બિરદાવવામાં આવશે. આ એપિસોડમાં તેમની મમ્મી મીના નય્યર ગેસ્ટ તરીકે પહોંચ્યાં હતાં. અનુજે યુદ્ધ દરમ્યાન પાકિસ્તાનનાં ત્રણ બંકર્સને મશીન ગનથી ફૂંકી નાખ્યાં હતાં અને પાકિસ્તાનના ૯ સૈનિકોને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા. અનુજને મહાવીર ચક્રથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘ઇન્ડિયન આઇડલ 13’ સોની ટીવી પર દર શનિવારે અને રવિવારે રાતે ૮ વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવે છે. આ એપિસોડમાં અનુજની મમ્મી મીના નય્યરે જણાવ્યું કે તેમના દીકરાએ છેલ્લા પત્રમાં લખ્યું હતું કે ‘મા, મારા માટે પ્રાર્થના કરો. ભગવાન, તમારી પ્રાર્થના સાંભળે છે.’
આ એપિસોડમાં મીના નય્યરે કહ્યું કે ‘હું ‘ઇન્ડિયન આઇડલ’ની આભારી છું કે તેમણે મારા દીકરા અનુજની પ્રશંસા કરી. મારા દીકરા અનુજના પરાક્રમને બિરદાવવા માટે આભાર.’