Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરીઅરની ઊંચાઈએ પહોંચીને લગ્ન કરવાનો અને દીકરીને જન્મ આપવાનો સૌથી સારો નિર્ણય માને છે આલિયા

કરીઅરની ઊંચાઈએ પહોંચીને લગ્ન કરવાનો અને દીકરીને જન્મ આપવાનો સૌથી સારો નિર્ણય માને છે આલિયા

02 January, 2023 02:49 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આલિયાએ ૨૦૨૨ની ૧૪ એપ્રિલે રણબીર સાથે લગ્ન કર્યાં હતાં અને એ વર્ષે જ ૬ નવેમ્બરે તેણે દીકરીને જન્મ પણ આપ્યો છે

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ


આલિયા ભટ્ટે કરીઅરની ઊંચાઈએ પહોંચીને રણબીર કપૂર સાથે લગ્ન કર્યાં અને દીકરીને જન્મ આપ્યો છે એને તે પોતાની લાઇફનો સૌથી સારો નિર્ણય માને છે. તેનું એમ કહેવું છે કે એ વાતનો તેને કોઈ પસ્તાવો પણ નથી. આલિયાએ ૨૦૨૨ની ૧૪ એપ્રિલે રણબીર સાથે લગ્ન કર્યાં હતાં અને એ વર્ષે જ ૬ નવેમ્બરે તેણે દીકરીને જન્મ પણ આપ્યો છે.  દીકરીનું નામ રાહા રાખવામાં આવ્યું છે. આલિયા અને રણબીરની ગયા વર્ષે ‘બ્રહ્માસ્ત્ર’ રિલીઝ થઈ હતી. બન્ને પ્રોફેશનલી ખાસ્સી બિઝી પણ છે. પોતાની લાઇફના અગત્યના ચૅપ્ટર વિશે આલિયા ભટ્ટે કહ્યું કે ‘મારી કરીઅરની પીક પર આવીને મેં લગ્ન કર્યાં અને દીકરીને જન્મ પણ આપ્યો. કોણ કહે છે કે લગ્ન કરીને અને મા બન્યા બાદ મારા કામમાં કોઈ પરિવર્તન આવશે? જો આવી પણ જાય તો કોઈ વાંધો નથી. મને એની કોઈ ચિંતા પણ નથી. હું જાણતી હતી કે બાળકને જન્મ આપ્યા બાદ મારે લાઇફમાં કદી પસ્તાવો નહીં કરવો પડે. આ એક સ્વાભાવિક વસ્તુ છે. મેં લીધેલા અત્યાર સુધીના નિર્ણયોમાંથી આ સૌથી સારો નિર્ણય છે.’


Whatsapp-channel Whatsapp-channel

02 January, 2023 02:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK