હાથી મેરે સાથીના પોતાના કૅરૅક્ટરને યેડા દિમાગ કહ્યું પુલકિત સમ્રાટે
હાથી મેરે સાથીના પોતાના કૅરૅક્ટરને યેડા દિમાગ કહ્યું પુલકિત સમ્રાટે
પુલકિત સમ્રાટે પોતાની ફિલ્મ ‘હાથી મેરે સાથી’માં પોતાના કૅરૅક્ટર શંકરને ‘યેડા દિમાગ’ કહ્યું છે. આ ફિલ્મમાં તેની સાથે રાણા દગુબટ્ટી, ઝોયા હુસેન, શ્રિયા પિળગાવકર, પારસ અરોરા અને અંકિત સાગર લીડ રોલમાં છે. ફિલ્મ ૨૬ માર્ચે હિન્દી, તેલુગુ અને તામિલમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં ગ્લોબલ વૉર્મિંગ અને વૃક્ષોના નિકંદનની પશુઓ અને માનવજાત પર થતી અસર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ફિલ્મના પોતાના લુકનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પુલકિતે કૅપ્શન આપી હતી, ‘શંકરને મળો. દિલથી ખૂબ સારો છે, પરંતુ સાથે જ તે ‘યેડા દિમાગ’નો છે.’