કોરોનાને કારણે વધુ એક સેલિબ્રિટીના ઘરે મોત, જાણો આખી ઘટના
કુણાલ કોહલી અને તેમનાં માસી
ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કુણાલ કોહલીના માસીનું કોરોના વાયરસને કારણે મૃત્યુ થયું છે. તેમણે આઠ અઠવાડિયાના સંઘર્ષ બાદ પોતાનો દેહત્યાગ કર્યો છે. કુણાલ કોહલીએ ખૂબ જ ભાવુક ટ્વીટ્સ દ્વારા શોક વ્યક્ત કર્યો છે. ફિલ્મ નિર્માતા કુણાલ કોહલીના મામીનું શિકાગોમાં કોરોના વાયરસને કારણે મૃત્યુ થયું. ટ્વીટ્સની એક સીરિઝમાં માસીના જવા પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તે દુઃખના આ સમયમાં પરિવાર સાથે નથી.
સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે ઘાતક વાયરસ "અમારા પ્રેમ અને તેમની સાથે જોડાયેલી સ્મૃતિઓ નહીં છીનવી શકે." કુણાલ કોહલી કહે છે કે, "8 અઠવાડિયાના સંઘર્ષ પછી કોવિડ-19 શિકાગોમાં મારી માસીને ભરખી ગયો. અમારો પરિવાર મોટો છે જે નજીક છે. અમે આ દુઃખના સમયમાં પરિવાર સાથે નથી મળી શકતા આ જેટલું નુકસાનકારક છે એટલું દુઃખદ પણ છે. આ સમયે એકસાથે થવું શક્ય નથી. આ હકીકતે ખૂબ જ મુશ્કેલ છે. "
ADVERTISEMENT
Her daughter (my cousin sister) would go to the hospital, sit in her car in the car park & pray for her mother. As she wasn’t allowed inside the hospital. Said she felt close to her as she couldn’t see her. This is how harsh Covid is. This isn’t the way to go.
— kunal kohli (@kunalkohli) May 23, 2020
કુણાલે કહ્યું કે તેમના ભાઇ અને મૃતક માસીની દીકરીને સંક્રમણના જોખમને કારણે હૉસ્પિટલ પરિસરની અંદર જવાની પરવાનગી નહોતી અને તેમણે કાર પાર્કમાંથી પ્રાર્થના કરી. કુણાલે લખ્યું છે કે, "તેમની દીકરી હૉસ્પિટલ જશે, કાર પાર્કમાં પોતાની કારમાં બેસશે અને પોતાની માતા માટે પ્રાર્થના કરશે. કારણકે તેને હૉસ્પિટલની અંદર જવાની પરવાનગી નથી. તે તેમને જોઇ નહીં શકે. કોવિડ-19 એટલું કઠોર છે." કુણાલના માસી પાંચ બહેન અને ત્રણ ભાઈઓમાંનાં એક હતાં અને તેમણે કહ્યું કે તેમનું બંધન એટલું મજબૂત હતું કે "ફક્ત મૃત્યુ જ તેને તોડી શકવાનું હતું."
5 sisters. 3 brothers too, but sisters are diff.Their bond unbreakable. Only death could break it. They taught a family & everyone they touched the meaning of love,family,giving. Covid has been harsh to our family. Won’t break our love & memories. Miss you Masi. pic.twitter.com/lXSBpgrzw7
— kunal kohli (@kunalkohli) May 23, 2020
તેમણે જણાવ્યું કે તેમનો(માસીનો) પ્રેમ અને સ્મૃતિઓ હંમેશાં તેમની સાથે રહેશે. વૈશ્વિક કોરોના વાયરસ મહામારીમાં અમેરિકા સૌથી વધારે મુશ્કેલીમાં છે, જ્યાં મરણાંક એકલાખની નજીક છે. અત્યાર સુધી દેશમાં લગભગ 16,45,094 કેસ સામે આવ્યા છે. ભારતમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.