Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જાહ્‍‍નવી અને ખુશી કપૂરથી પોતાને અળગો માને છે અર્જુન કપૂર

જાહ્‍‍નવી અને ખુશી કપૂરથી પોતાને અળગો માને છે અર્જુન કપૂર

04 July, 2021 12:07 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અર્જુન કપૂર અને અંશુલા બોની કપૂર અને તેમની પહેલી વાઇફ મોના શૌરીનાં બાળકો છે. મોના સાથે ડિવૉર્સ લીધા બાદ બોની કપૂરે શ્રીદેવી સાથે લગ્ન કરી લીધાં હતાં.

અર્જુન કપૂર

અર્જુન કપૂર


અર્જુન કપૂર હજી પણ પોતાને જાહ્‍‍નવી કપૂર અને ખુશી કપૂરથી અલગ પરિવારનો માને છે. તેનું માનવું છે કે તેઓ હજી પણ એકબીજાને સમજવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અર્જુન કપૂર અને અંશુલા બોની કપૂર અને તેમની પહેલી વાઇફ મોના શૌરીનાં બાળકો છે. મોના સાથે ડિવૉર્સ લીધા બાદ બોની કપૂરે શ્રીદેવી સાથે લગ્ન કરી લીધાં હતાં. તેમને બે દીકરીઓ જાહ્‍‍નવી કપૂર અને ખુશી કપૂર છે. પરિવાર વિશે અર્જુન કપૂરે કહ્યું હતું કે ‘જો એમ કહેવામાં આવે કે અમે પર્ફેક્ટ ફૅમિલી છીએ તો એ ખોટું કહેવાય. એવું નથી કે અમારા મત અલગ છે, અમે આજે પણ અલગ પરિવાર છીએ. અમે હજી પણ એકબીજા સાથે રહેવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. અમે જ્યારે સાથે હોઈએ ત્યારે સારો સમય પસાર કરીએ છીએ. જોકે અમે એક કુટુંબનાં નથી. હું ખોટું નહીં કહું કે બધું સારું છે. અમે હજી પણ વસ્તુસ્થિતિને સમજવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2021 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK