Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધુરંધરના ૨૬/૧૧ના આતંકી હુમલાના સીન વખતે રોઈ પડ્યા હતા અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ

ધુરંધરના ૨૬/૧૧ના આતંકી હુમલાના સીન વખતે રોઈ પડ્યા હતા અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ

Published : 22 February, 2026 11:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મમાં દેખાડવામાં આવેલા ૨૬/૧૧ના આતંકી હુમલાના દૃશ્યના શૂટિંગ વખતે સેટ પર પણ ઇમોશનલ વાતાવરણ સર્જાઈ ગયું હતું.

ધુરંધર સીન

ધુરંધર સીન


ડિરેક્ટર આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’નો પ્રભાવ માત્ર બૉક્સ-ઑફિસ પર જ નહીં પરંતુ દર્શકોના મન પર પણ પડ્યો છે. ફિલ્મમાં દેખાડવામાં આવેલા ૨૬/૧૧ના આતંકી હુમલાના દૃશ્યના શૂટિંગ વખતે સેટ પર પણ ઇમોશનલ વાતાવરણ સર્જાઈ ગયું હતું.

સેટ પરના આ વાતાવરણ વિશે વાત કરતા ફિલ્મમાં ઇન્ટેલિજન્સ બ્યુરોના ચીફ અજય સાન્યાલનું પાત્ર ભજવનાર આર. માધવને કહ્યું છે, ‘ફિલ્મમાં દેખાડવામાં આવેલા ૨૬/૧૧ના આતંકી હુમલાના દૃશ્યમાં પાત્રો હુમલાનો જશ્ન મનાવતાં દેખાય છે. આ સીન પૂર્ણ થયા બાદ અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ પોતાને સંભાળી શક્યા નહોતા અને રોઈ પડ્યા હતા. તેમના માટે આ માત્ર અભિનય નહોતો, પરંતુ એ સમયની ભયાનક યાદોને ફરી જીવવાનો અનુભવ હતો. આ સમયે સેટ પર થોડા સમય માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ હતી. દરેક વ્યક્તિ એ ક્ષણની ગંભીરતાને અનુભવી રહી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2026 11:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK