Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બદરીનાથ બાદ જાગેશ્વર ધામ પહોંચ્યો અક્ષયકુમાર

બદરીનાથ બાદ જાગેશ્વર ધામ પહોંચ્યો અક્ષયકુમાર

29 May, 2023 03:35 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અક્ષયકુમારની આસપાસ સખત સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી

અક્ષય કુમાર

અક્ષય કુમાર


અક્ષયકુમારે હાલમાં બદરીનાથની યાત્રા કર્યા બાદ જાગેશ્વર ધામ પહોંચ્યો હતો. ઉત્તરાખંડના અલ્મોડામાં આ પ્રાચીન મંદિર છે જે કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. ખાસ વાત એ છે કે અહીં લગભગ અઢીસો મંદિર છે. અક્ષયકુમારની આસપાસ સખત સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેની ઝલક જોવા માટે લોકોની ભીડ ઊમટી પડી હતી. તે બ્લૅક આઉટફિટમાં દેખાયો હતો. તેના કપાળે તિલક હતું અને તે હાથ જોડીને મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યો છે. પોતાનો આ ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. થોડા સમય પહેલાં જ તે કેદારનાથ મંદિરે પણ દર્શન કરી આવ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2023 03:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK